Not Set/ સવારે આખું ઘર આગમાં બળીને ખાખ થઇ ગયું, સાંજ સુધીમાં ગામલોકોએ નવું મકાન બનાવ્યું

પૂર્વીય ભારતના નાગાલેન્ડના એક ગામમાંથી એક સુંદર તસવીર સામે આવી છે. આ ગામમાં એક વ્યક્તિના ઘરને આગ લાગી, પરંતુ આખું ગામ તેની મદદ માટે આગળ આવ્યું. આગમાં નાગાલેન્ડના સોમ જિલ્લાના ઝાંગખામ ગામના નોખાત કોન્યાક અને તેની પત્ની હેલેમનું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગતા સમયે નોખાત કામની બહાર ગયો હતો. ગામલોકોએ નોખાત અને […]

Top Stories India

પૂર્વીય ભારતના નાગાલેન્ડના એક ગામમાંથી એક સુંદર તસવીર સામે આવી છે. આ ગામમાં એક વ્યક્તિના ઘરને આગ લાગી, પરંતુ આખું ગામ તેની મદદ માટે આગળ આવ્યું. આગમાં નાગાલેન્ડના સોમ જિલ્લાના ઝાંગખામ ગામના નોખાત કોન્યાક અને તેની પત્ની હેલેમનું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગતા સમયે નોખાત કામની બહાર ગયો હતો.

ગામલોકોએ નોખાત અને હેલેમનું મકાન બનાવવામાં મદદ કરી

નોખાત અને હાલેમ બંને વ્યવસાયે મજૂર છે. સવારે સાત વાગ્યાની આસપાસ તેના ઘરને આગ લાગી હતી અને ઘરમાં રાખેલી બધી વસ્તુઓ, વાસણો, કપડાં, અનાજ બળીને રાખ થઈ ગયા હતા. ગામલોકોના પ્રયત્નો છતાં આ અગ્નિએ તેમના આખા ઘરને ભરખી ગઈ હતી.

આગમાં બધું સમાપ્ત થતા જોતાં બંને પતિ-પત્ની તૂટી પડ્યાં. પરંતુ, આ મુશ્કેલ સમયમાં ગામલોકો તેમની સાથે ઉભા હતા. તેણે ફરી એકવાર સાંજે સૂર્ય અસ્ત થાય તે પહેલા જ બંને ને તેમનું નવું ઘર બનાવી આપવાનું નક્કી કર્યું હતું, અને ગામ લોકોએ ભેગા મળી ને નવું ઘર બનાવી પણ આપ્યું, અને એટલું જ નહીં, બંનેને વાસણો, ખોરાક, કપડા, ચાદરો, ધાબળા વગેરે પણ આપ્યા.

હાલમાં આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ચૂલાની આગને યોગ્ય રીતે બુઝાવવાનું ભૂલી ગયો હશે, જેના કારણે આગ શરૂ થઈ.

કોન્યાક સમુદાયની આ સુંદર પરંપરા રહી છે.

આ પછી, સરકારી અધિકારીઓએ તેમની સહાયતામાં વધારો કર્યો હતો. અને  તેમને આર્થિક સહાય કરી હતી.  તેમણે આ સહાય ઇમરજન્સી રિલીફ ફંડ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દ્વારા આપી હતી.

આ દંપતી કોન્યાક સમુદાયનો એક ભાગ છે. કોનાયક નામના ગામના લોકોએ જણાવ્યું હતું કે, તેમના સમુદાયની પરંપરામાં, જો કોઈના મકાનમાં આગની ઘટના બને છે, તો સૂર્ય ડૂબતા પહેલા, દરેક ગ્રામજન દ્વારા ભેગા મળીને મકાન બાંધવા સહિતની મદદ અને અન્ય મદદ માટે આગળ આવે છે, જેથી કોઈ વ્યક્તિ છત વિહોણું કે નિરાધાર ના રહે.

આ ગામ આજના સમયમાં એક મહાન ઉદાહરણ છે, જ્યારે આજની તારીખે દેશમાં સમાજમાં ધાર્મિકતા અને ભાઈચારોનો અભાવ જોવા મળી રહ્યો છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.