છત્તીસગઢ,
ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢથી તેના તમામ સાંસદોની ટિકિટ કટ કરી લીધી છે. 2014 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ રાજ્યમાંથી 10 લોકસભાની બેઠકો જીતી હતી. પાર્ટીએ રાજ્યની બધી 11 લોકસભાની બેઠકો માટે ઉમેદવારનું નામ જાહેર કર્યા છે. ભાજપની આ લિસ્ટમાં કોઈ જ જૂના સાંસદનું નામ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની હાર પછી પક્ષે આ પગલાં લીધાં છે.
BJP releases its list of 9 candidates from Chhattisgarh, Telangana, Meghalaya and Maharashtra- Santosh Pandey to contest from Chhattisgarh's Rajnandagaon, Sunil Soni to contest from Raipur, Raghunanadan Rao from Medak in Telangana #LokSabhaElections2019 pic.twitter.com/sHjglUUO25
— ANI (@ANI) March 24, 2019
ભાજપે રવિવારે છત્તીસગઢમાં છ લોકસભાની બેઠકોના ઉમેદવારના નામો જાહેર કરી લીધા છે. કોરબા, બિલાસપુર, રાજનાંદગાંવ, દુર્ગ, રાયપુર, મહાસમુંડ આ છે બેઠકો.. કોરબાથી પાર્ટીએ જ્યોતિંનંદા દુબેને ટિકિટ આપી છે. હાલના સાંસદ ડૉ. વંશીલાલ મહતો છે. બીલાસપુર મતદારક્ષેત્રથી ભાજપે 2019 માટે અરુણ સાવને ટિકિટ આપી છે, 2014 માં આ સીટથી ભાજપના લખન લાલ સાહુ જીત્યા હતા.
રમન સિંહના પુત્રનું પત્તું કટ
રાજનાંદગાંવ લોકસભા બેઠક પરથી આ વખતે પાર્ટીએ વર્તમાન સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમન સિંહના પુત્ર અભિષેક સિંહની ટિકિટ કાપી છે. આ વખતે સંતોષ પાંડેને તેમની જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે. ચર્ચા એ અંગે કરવામાં આવી હતી કે ભાજપ લોકસભાની ચૂંટણી માટે રમણ સિંહને ટિકિટ પણ આપી શકે છે પરંતુ ઉમેદવારોની સંપૂર્ણ યાદી આવાના સાથે આ ચર્ચા પર વિરામ લાગ્યો છે.
રાયપુર લોકસભા બેઠક પરથી ભાજપે સુનીલ સોનીને ઉમેદવાર બનાવ્યા છે. 2014 ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના રમેશ વૈશ્ય આ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. આ વખતે તેનું પત્તું કટ કરવામાં આવ્યું છે. આ વખતે ભાજપે છત્તીસગઢના મહાસમુંદ લોકસભા મતક્ષેત્રમાંથી ચુન્નીલાલ સાહુને ટિકિટ આપી છે. 2014 માં ભાજપના ચંદુ લાલ સાહુએ ચૂંટણી જીતી હતી.
પહેલા જાહેર કર્યા 5 નામ
અગાઉ 21 માર્ચના રોજ ભાજપે છત્તીસગઢની 5 લોકસભાની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ભાજપે સરગુજા લોકસભા બેઠકથી રેણુકા સિંહને પક્ષના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. 2014 માં કમલભાન મરાબી ચૂંટણી જીતી હતી. ગોમતી સાઈને રાયગઢ લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અગાઉ લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી વિષ્ણુદેવ સાઈએ બીજેપીની ટિકિટ પર જીતી મેળવી હતી. જાંજગીર ચાપા લોકસભા બેઠક પરથી પક્ષે ગુહારામ અજગલેને ઉમેદવાર બનાવ્યો છે. 2014 માં ભાજપના કમલા દેવીએ બેઠક જીતી હતી.
ભાજપે નક્સલ અસરગ્રસ્ત બસ્તર લોકસભા બેઠક પરથી સાંસદ દિનેશ કશ્યપનું પત્તું કાપ્યું છે. તેમના સ્થાને પક્ષે બૈદુરામ કશ્યપ પર વિશ્વાસ મૂક્યો છે. બૈદુરામ કશ્યપ ચિત્રકોટ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહ્યા છે. હાલમાં તે બસ્તર જીલ્લાના ભાજપના પ્રમુખ છે. કશ્યપ એક વરિષ્ઠ આદિવાસી નેતા છે. બીજેપીએ કાંકેર લોકસભા મતવિસ્તારના સાંસદ વિક્રમ ઉસેંડીની ટીકીટ કાપી છે.મોહન મંડાવીને ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. મંડાવી કાંકેર વિસ્તારમાં ભાજપના સક્રિય નેતા છે.
દુર્ગ લોકસભા બેઠકથી વિજય બધેલ ભાજપના ઉમેદવાર છે. છેલ્લી લોકસભાની ચૂંટણીઓ દરમિયાન બીજેપીએ બેઠક જીતી હતી અને કોંગ્રેસના તામ્રધ્વજ સાહુએ ચૂંટણી જીતી હતી.
