સાંસદ અને ફિલ્મ અભિનેતા સની દેઓલ કરતારપુર સાહિબની મુલાકાત લેનાર પ્રથમ બેચમાં પાકિસ્તાન જશે. પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયએ ગુરુવારે કહ્યું હતું કે સની દેઓલ કરતારપુર કોરિડોરના ઉદઘાટન પછી પાકિસ્તાનની મુલાકાત લેનાર પ્રથમ સત્તાવાર બેચમાં જોડાશે. સત્તાવાર માહિતી અનુસાર, કરતારપુર જતા પ્રથમ બેચમાં કુલ 670 લોકોનો સમાવેશ કરવામાં આવશે. સની દેઓલે પણ આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ગુરદાસપુર તેમનો વિસ્તાર છે અને તેમનું ઘર પણ છે. જો તે પાકિસ્તાન નહીં જાય તો કોણ જશે?
પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સહિતનું આખું મંત્રીમંડળ કરતારપુર જતા બેચમાં હાજર રહેશે. આપને જણાવી દઈએ કે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન 9 નવેમ્બરના રોજ થશે. પાકિસ્તાને આ માટે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ પણ મોકલ્યું છે, જે તેમણે સ્વીકાર્યું છે. પાકિસ્તાને પણ સિદ્ધુને કરતારપુરની મુલાકાત માટે મંજૂરી આપી દીધી છે. આ સિવાય સિદ્ધુને પાકિસ્તાનની મુલાકાત માટે ભારત તરફથી રાજકીય મંજૂરી પણ આપવામાં આવી છે.
12 નવેમ્બરે ઉજવાશે પ્રકાશનોત્સવ
ઉલ્લેખનીય છે કે શીખના પ્રથમ ગુરુ, ગુરુ નાનકદેવે તેમના જીવનના 18 વર્ષ કરતારપુર સાહિબમાં વિતાવ્યા હતા. 12 નવેમ્બરના રોજ ગુરુ નાનકનો 550 મો પ્રકાશ પર્વ ઉજવાશે. શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વારાએ પહેલો ગુરુદ્વારા માનવામાં આવે છે જેનો પાયો ગુરુ નાનક દેવ દ્વારા નાખ્યો હતો. જો કે બાદમાં તે રવિ નદીમાં પૂરને કારણે ધોવાઈ ગયો હતો. આ પછી, હાલના ગુરુદ્વારાનું નિર્માણ મહારાજા રણજીત સિંહે કરાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.