Switzerland of Asia: રાજકીય વિખવાદ, આતંકવાદ અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને જ્યારે પણ વૈશ્વિક પ્લેટફોર્મ મળ્યું ત્યારે તેણે તેનો ઉપયોગ કાશ્મીરની ધૂન ગાવા માટે કર્યો. પરંતુ માત્ર આંતરરાષ્ટ્રીય સમુદાય જ નહીં પરંતુ ખુદ પાકિસ્તાનીઓ પણ વારંવાર તેમના શાસનને અરીસો બતાવે છે. હવે પાકિસ્તાની નિષ્ણાત સૈયદ શબ્બર ઝૈદીએ કાશ્મીર મુદ્દે પોતાના જ દેશને કહ્યું છે. ટ્વિટર પર તેમણે ભારતના સમર્થનમાં અનેક ટ્વિટ કર્યા છે. કાશ્મીર પર તેમણે લખ્યું કે, “જો કાશ્મીરીઓએ ભારત સાથે રહેવાનું નક્કી કર્યું છે, તો તેમને રહેવા દો.”
Emaar UAE invests in Indian Occupied Kashmir. This is a sad but most important event after 1947. After removal of Article 370 from the Indian Constitution by Modi, non Kashmiris allowed to own real estate in Kashmir. Special status finished. Now UAE investing. Where are we?
— SyedShabbarZaidi (@SShabbarZaidi) March 21, 2023
These events settle Kashmir issue. India & the world will heavily invest in Indian Kashmir. Make it Asian Switzerland. Now it is for people of Indian Kashmir to decide. They face Indian military presence & their atrocities. If economic development suits them they may agree. End
— SyedShabbarZaidi (@SShabbarZaidi) March 21, 2023
India surpassed us in all economic indicators from 2002 to 2023. We had military 2002-2008, PPP 2008-2013, PML 2013-2018, PTI/PML 2018-2023. All four available alternates.There is some genetic inherent problem.Identify that. Problem: politics & security over common-men’s problem.
— SyedShabbarZaidi (@SShabbarZaidi) March 21, 2023
શબ્બર ઝૈદીએ લખ્યું કે, ‘યુએઈએ કાશ્મીરમાં રોકાણ કર્યું છે. 1947 પછીની આ સૌથી દુઃખદ અને મહત્ત્વની ઘટના છે. PM મોદી દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી બિન-કાશ્મીરીઓને કાશ્મીરમાં જમીન ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. હવે UAE રોકાણ કરી રહ્યું છે. આપણે ક્યાં છીએ? તેમણે લખ્યું કે, ‘આ વસ્તુઓ કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવી રહી છે. ભારત અને વિશ્વ કાશ્મીરમાં ભારે રોકાણ કરશે અને તેને એશિયાનું સ્વિટ્ઝર્લેન્ડ બનાવશે. તેમણે લખ્યું કે, ‘હવે નિર્ણય કાશ્મીરના લોકોએ લેવાનો છે. જો આર્થિક વિકાસ તેમની તરફેણમાં હોય તો તેઓ સંમત થઈ શકે છે. શબ્બર ઝૈદીએ આગળ લખ્યું કે, ‘ભારતે 2002 થી 2023 સુધી તમામ આર્થિક માપદંડોમાં અમને પાછળ છોડી દીધા છે. પાકિસ્તાની નિષ્ણાતે પોતાના ટ્વીટમાં લખ્યું કે, પાકિસ્તાનમાં જે પણ થયું તે અનિવાર્ય હતું. પરંતુ ભૂતકાળ ભૂતકાળ છે. દુર્ઘટના એ છે કે આપણે કોઈ પાઠ શીખ્યા કે નહીં? વિચારસરણી બદલવી પડશે. સરકારો રાજકીય અને આર્થિક સંસ્થાઓ છે. વિચારધારા તેના લોકોના કલ્યાણની હોવી જોઈએ. પાકિસ્તાન પોતાના સંસાધન લોકોના કલ્યાણને બદલે ‘પડોશી દેશમાં’ અશાંતિ ફેલાવતું રહ્યું. દાયકાઓની રાજકીય અસ્થિરતા અને આર્થિક ગેરવહીવટના કારણે પાકિસ્તાનમાં વર્તમાન કટોકટી સર્જાઈ છે.
આ પણ વાંચો: Stock Market/ બજારો ઊંચા સ્તરેથી પટકાવા છતાં પણ ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ
આ પણ વાંચો: હવામાન વિભાગ/ વરસાદ બાદ આ 2 ગંભીર સમસ્યાઓથી મળશે રાહત, જાણો કેટલો સમય રહેશે આવું હવામાન
આ પણ વાંચો: India-British High Comission/ ભારતની જેવા સાથે તેવા નીતિઃ બ્રિટિશ રાજદૂતાવાસની સુરક્ષા ઘટાડી
આ પણ વાંચો:જિનપિંગ સાથેની મુલાકાત પછી પુતિને કહ્યું રશિયા વાતચીત માટે તૈયાર
આ પણ વાંચો:પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી PTI પર પ્રતિબંધ, જાણો સરકારનો પ્લાન
