Turkey Earthquake/ તુર્કી ભૂકંપમાં ભારતીય નાગરિકનું મોત, હોટલના કાટમાળમાંથી મળ્યો મૃત્યદેહ

અંકારામાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું, “6 ફેબ્રુઆરીના ભૂકંપ પછી તુર્કીમાં ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારના મૃત અવશેષો માલ્ટામાં એક હોટલના કાટમાળમાંથી મળી આવ્યાે છે

Top Stories India
turkey earthquake

turkey earthquake:  તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં એક ભારતીય નાગરિકના મોતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિ 6 ફેબ્રુઆરીએ ભૂકંપ બાદ ગુમ થયો હતો. જો કે હવે તેમના મૃત્યુની પુષ્ટિ થઈ છે. માલ્ટામાં એક હોટલના કાટમાળમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ વ્યક્તિની ઓળખ વિજય કુમાર તરીકે થઈ છે.અંકારામાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું, “6 ફેબ્રુઆરીના ભૂકંપ પછી તુર્કીમાં ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારના મૃત અવશેષો માલ્ટામાં એક હોટલના કાટમાળમાંથી મળી આવ્યા છે અને તેની ઓળખ કરવામાં આવી છે.

turkey earthquake માહિતી આપતાં તુર્કીમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે વિજય કુમાર બિઝનેસ ટ્રિપ પર હતા. દરમિયાન, 6 ફેબ્રુઆરીએ ભૂકંપમાં તેમનું મૃત્યુ થયું હતું. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ઓપરેશન દોસ્ત હેઠળ ભૂકંપગ્રસ્ત તુર્કીમાં રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. વધુમાં વધુ લોકોના જીવન અને સંપત્તિને બચાવવા માટે,  મોદીએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટ જોડ્યું જેમાં ભારતીય ટીમો દ્વારા આપવામાં આવતી મદદના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.

બાગચીએ કહ્યું કે,  (turkey earthquake)ભારતીય સેનાના તબીબી નિષ્ણાતોની ટીમ ઘાયલોને રાહત આપવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે તુર્કીના ઇસ્કેન્ડરનમાં ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 106 થી વધુ લોકોની સારવાર કરવામાં આવી છે.

Pakistan/ પાકિસ્તાનની નવી ચાલ આવી સામે, રશિયાની પીઠમાં ભોંકી રહ્યું છે છૂરો

Cricket/ કપ્તાનીમાં પીસાઈ રહ્યો છે રોહિત શર્મા, નાગપુર ટેસ્ટ બાદ થયો ખુલાસો