સાઉદી અરબના નૈતૃત્વવાળા ગઠબંધને યમનમાં વિદ્રોહીઓના ક્બ્જાવાડી રાજધાની સનામાં રક્ષામંત્રાલયની ઈમારત પર બે હવાઈ હુમલા કર્યાના સમાચાર મળી રહ્યા છે.
સ્થાનિક લોકો અને મીડિયા ધ્વારા મળતી માહિતી મુજબ આ હુમલામાં હુજીસુંધી કોઈ જાનહાનીના સમાચાર નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, હવાઈ હુમલા બાદ પણ સેના શેરની ઉપર યુદ્ધ વિમાનો ફરતા જોવા મળ્યા હતા.
રિયાદ એરપોર્ટ પાસે હુમલામાં હુતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ સાઉદી સુરક્ષાદળો દ્વારા આ સપ્તાહની શરુઆતમાં યમન સાથે જોડાયેલી સરહદને સીલ કરવામાં આવી હતી. વિદ્રોહીઓ સરહદ સીલ કરવાના વિરોધમાં સાઉદ અને UAE પર હુમલો કરવાની ધમકી ઉચ્ચારી હતી.