ISRO/ ઈસરોએ ચંદ્રયાન-5નું કર્યુ એલાન, 2026માં અવકાશમાં જશે ગગનયાન

જ્યારે ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રોજેક્ટ મિશન NISAR આવતા વર્ષે પૂર્ણ થવાની અપેક્ષા છે.

Top Stories India

Banglore News: ISROના અધ્યક્ષે એસ. સોમનાથ ગગનયાન મિશનને (Gaganyan Mission) લઈને મોટી જાહેરાત કરી છે. ઈસરોના વડાએ કહ્યું કે ભારત 2026માં ગગનયાન મિશનને અવકાશમાં મોકલશે. ચંદ્રયાન-4 2028 માં લોન્ચ કરવામાં આવશે, જ્યારે ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રોજેક્ટ મિશન NISAR આવતા વર્ષે પૂર્ણ થવાની અપેક્ષા છે.

ISRO awards Gaganyaan Mission mandate to Tata Elxsi to deliver Crew Module  Recovery Models (CMRM)

ISROના અધ્યક્ષે કહ્યું કે જાપાન સાથેના સંયુક્ત સાહસ હેઠળ LUPEX મિશન એટલે કે ચંદ્ર ધ્રુવીય સંશોધન પ્રોજેક્ટ ચંદ્રયાન-5 મિશન હશે. આ પ્રોજેક્ટ પર ISRO જાપાનની સ્પેસ એજન્સી JAXA સાથે મળીને કામ કરશે. ISRO ચીફે મિશનના પ્રક્ષેપણની તારીખની જાહેરાત કરી ન હતી, પરંતુ LUPEX મિશન 2025 પહેલા થવાનું હતું. જો કે ISRO ચીફે તેને ચંદ્રયાન-5 ગણાવ્યું છે, પરંતુ એવું માનવામાં આવે છે કે 2028માં યોજાનાર ચંદ્રયાન-4 મિશન પછી જ તેને લોન્ચ કરવામાં આવશે.

Gaganyaan Mission: Maiden Test Flight Successful After ISRO Identifies,  Fixes Minor 'Anomaly'

ઈસરોના અધ્યક્ષે શનિવારે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયોના સરદાર પટેલ મેમોરિયલ લેક્ચરમાં બોલતા આ માહિતી આપી હતી. એસ સોમનાથે કહ્યું કે ભારત આગામી દસ વર્ષમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં તેની ભાગીદારી ઓછામાં ઓછા 10 ટકા સુધી વધારવા માંગે છે. હાલમાં ભારતનો હિસ્સો લગભગ 2 ટકા છે.

જાપાન સાથે ચંદ્રયાન 5 મિશન વિશે વાત કરતા, ISRO અધ્યક્ષે કહ્યું કે ભારત પ્રોજેક્ટ માટે લેન્ડર પ્રદાન કરશે, જ્યારે જાપાન રોવર આપશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન 3માં રોવરનું વજન માત્ર 27 કિલો હતું, પરંતુ ચંદ્રયાન 5માં રોવરનું વજન 350 કિલો હશે. તેમણે કહ્યું કે આ ખૂબ જ મોટું અને ભારે મિશન હશે, જે ચંદ્ર પર માનવ ઉતરાણનો માર્ગ મોકળો કરશે. ભારતે 2040 સુધીમાં ચંદ્ર પર માણસો મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

Chandrayaan 4-5 Design Complete', Says ISRO Chief. Know Updates About  Mission, Gaganyan Project, Other Satellites

ઈસરોના અધ્યક્ષે કહ્યું કે ચંદ્રયાન 3 એ માત્ર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ શક્ય બનાવ્યું નથી, પરંતુ ચંદ્ર વિશે રસપ્રદ માહિતી પણ મોકલી છે. જેમ કે ચંદ્રયાન-1એ કર્યું અને આ મિશનથી જાણવા મળ્યું કે ચંદ્ર પર એક સમયે પાણીની હાજરી હતી. તેમણે કહ્યું કે આદિત્ય-એલ1 અને એક્સોસેટ મિશનમાંથી પણ અવકાશ વિશે નવી માહિતી મળી રહી છે. વૈશ્વિક સમુદાય આ માહિતીથી સમૃદ્ધ બની રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈસરો સ્વતંત્રતા દિવસે આપશે દેશવાસીઓને ખાસ ભેટ, EOS-8 સેટેલાઈટ કરશે લૉન્ચ

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઈસરોએ અંતરિક્ષ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરી

આ પણ વાંચો:ચંદ્ર પર માનવ મોકલવાની પણ તૈયારી કરી ચુક્યું છે ઈસરો! જાણો ગગનયાન મિશન માટે કેટલો ખર્ચ થશે