છત્તીસગઢનાં નારાયણપુરમાં ભારતીય સુરક્ષા દળોને નિશાન બનાવવાનું મોટુ કાવતરું નિષ્ફળ થયુ છે. બુધવારે, ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) નાં કડેનારે ચીખપાલ ગામ નજીક જમીનની અંદર છુપાયેલા બે પ્રેશર કૂકર આઈ.ઈ.ડી. બોમ્બ મેળવ્યા હતા.
વિવાદાસ્પદ નિવેદન / રામદેવની મુસિબતમાં વધારો, IMA એ બાબાને 1 હજાર કરોડની બદનક્ષીની કાનૂની નોટિસ ફટકારી
જો કે, આ બોમ્બ વિસ્ફોટ થાય તે પહેલાં જ આઈટીબીપી એ આઇઇડીથી સજ્જ પ્રેશર કૂકર વિસ્ફોટકોને નિષ્ક્રિય કરી દીધા હતા. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે, એવી આશંકા છે કે આ કામ નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવ્યુ હોઇ શકે છે. નોંધપાત્ર વાત એ છે કે છત્તીસગઢનાં ઘણા વિસ્તારોમાં નક્સલવાદીઓનો આતંક વધી રહ્યો છે, ભારતીય સૈન્યનાં સૈનિકોને નિશાન અને નુકસાન પહોંચાડવા માટે આવા દુષ્ટ ઇરાદાને દિવસે અમલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા 17 મે નાં રોજ નક્સલવાદીઓએ છત્તીસગઢનાં સુકમા જિલ્લામાં દળનાં સંયુક્ત શિબિર પર ગોળીબાર કર્યો હતો, આ દરમિયાન જવાનોએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું. બંને પક્ષનાં આ ભીષણ એન્કાઉન્ટરમાં ત્રણ ગ્રામજનો માર્યા ગયા હતા.
Chhattisgarh | Indo-Tibetan Border Police (ITBP) Kadenar in Narayanpur, found two pressure cooker IEDs near Chikhpal village today. ITBP later neutralized the IEDs. pic.twitter.com/ZKnnYTjH8s
— ANI (@ANI) May 26, 2021
રાજકારણ / પ્રિયંકા ગાંધીનો મોદી સરકારને સવાલ, દેશની આવી હાલત માટે જવાબદાર કોણ?
વળી બે અઠવાડિયા પહેલા, છત્તીસગઢનાં કાંકર જિલ્લામાં 8 ગામલોકોની હત્યાનાં આરોપી નક્સલવાદી ડેપ્યુટી કમાન્ડર દરબારીએ તેની પત્ની સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. બાહ્ય નક્સલવાદીઓ દ્વારા પતિ-પત્નીને હેરાન કરવામાં આવ્યા હતા. આત્મસમર્પણનું મુખ્ય કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે બાહ્ય નક્સલવાદીઓ સ્થાનિક નક્સલીઓ પર ગામ લોકોની હત્યા કરવા માટે દબાણ કરતા હતા, જેના કારણે નક્સલીઓનો નાયબ કમાન્ડર દરબારી ખૂબ ગુસ્સે હતો અને આ કારણોસર તેણે પત્ની સાથે આત્મસમર્પણ કર્યું હતું. કોમરાપરા સિરસાંગી પોલીસ સ્ટેશન તાડોકી કિસકોડો એલઓએસનાં ડેપ્યુટી કમાન્ડર જયસિંગ કોમરા ઉર્ફે દરબારી અને તેની પત્ની પ્લાટૂન નંબર 17 સભ્ય સમ્મી ઉર્ફે સન્ની ઇરપા નિવાસી બલ્લમનંડ્રા પોલીસ સ્ટેશન બાસગુડા જિલ્લા બીજાપુરએ શરણાગતિ કરી હતી.

