એક દિવસ અગાઉ જમ્મુ-કાશ્મીરનાં હંદવાડામાં થયેલા આતંકી હુમલામાં 5 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને આજે સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફનાં ત્રણ જવાન શહીદ થયા છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરોએ જિલ્લાનાં ક્રાલગુંદ વિસ્તારમાં આવેલા વંગામ-કજિયાબાદ ખાતે સીઆરપીએફની નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ હુમલામાં સીઆરપીએફનાં ત્રણ જવાનો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધખોળ કરવા માટે વધારાનાં સુરક્ષા જવાનો મોકલવામાં આવ્યા છે.
3 CRPF personnel have lost their lives, 7 injured in terrorist attack in Handwara(J&K), CRPF officials tell ANI https://t.co/tG0NbdOgTG
— ANI (@ANI) May 4, 2020
નોંધપાત્ર વાત એ છે કે, રવિવારે ઉત્તર કાશ્મીરનાં રજવાર જંગલનાં એક ગામમાં આતંકવાદીઓ સાથેનાં એન્કાઉન્ટરમાં એક કર્નલ અને મેજર સહિત પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. હાલનાં વર્ષોમાં સેનાને થયેલ આ સૌથી મોટું નુકસાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.