Jharkhand JPSC Protest: ઝારખંડમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં (Student Protest) કથિત ગેરરીતિઓના આરોપોને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન હવે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. રાંચીના જયપાલ સિંહ મુન્ડા સ્ટેડિયમ ખાતે ચાલી રહેલું આંદોલન હવે 14મા દિવસે પહોંચી ગયું છે. અનેક વિદ્યાર્થીઓ સતત ધરણા પર બેઠા છે, જ્યારે છ વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર હોવાથી તેમની તબિયતને લઈને પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીતનો પ્રયાસ થયો હતો, પરંતુ પ્રતિનિધિમંડળની રચના મુદ્દે સહમતિ ન બનતા ચર્ચા કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શકી નહોતી.
પરીક્ષા રદ કરવા અને સ્વતંત્ર તપાસની મુખ્ય માંગ
વિદ્યાર્થીઓની મુખ્ય માંગ 14મી JPSC (Student Protest) સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા રદ કરવાની છે. તેઓ સમગ્ર મામલાની તપાસ CBI અથવા રાજ્ય બહારના નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશોની સ્વતંત્ર સમિતિ દ્વારા કરાવવાની માંગ કરી રહ્યા છે. સાથે જ JPSC અને JSSC જેવી ભરતી સંસ્થાઓમાં પારદર્શિતા વધે તે માટે વ્યાપક સુધારાઓ કરવાની પણ માગ ઉઠી છે. આંદોલન 25 જુલાઈથી JPSC-JSSC રિફોર્મ્સ મંચના બેનર હેઠળ શરૂ થયું હતું અને હવે તે રાજ્યના સૌથી મોટા વિદ્યાર્થી આંદોલનોમાંનું એક બની ગયું છે.
#WATCH | JPSC-JSSC aspirants’ protest in Ranchi (Jharkhand) | A student protestor on hunger strike, Gulam Hussain, says, “Today is the 14th day of the protest and the 4th day of fasting unto death… The CHief Minister had also initiated talks for a dialogue. But it didn’t… pic.twitter.com/nhDrtOPdRK
— ANI (@ANI) August 7, 2026
સરકાર સાથે ચર્ચા અટકી, CIDની કાર્યવાહી તેજ
મોડી રાત્રે વહીવટી અધિકારીઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. સરકારે માત્ર વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી હતી, જ્યારે વિદ્યાર્થીઓએ પોતાના 11 સભ્યોના પ્રતિનિધિમંડળમાં એક પત્રકાર અને એક વકીલને પણ સામેલ કરવાની માંગ પર અડગ રહ્યા. પરિણામે કોઈ અંતિમ સહમતિ થઈ શકી નહીં. બીજી તરફ, પરીક્ષામાં કથિત ગેરરીતિઓની(Student Protest) તપાસ કરી રહેલી CIDએ અત્યાર સુધીમાં 19 લોકોની ધરપકડ કરી છે અને સમગ્ર નેટવર્કની તપાસ વધુ તેજ બનાવી છે.
આંદોલનને રાજકીય સમર્થન, વિધાનસભા સુધી પહોંચ્યો મુદ્દો
વિદ્યાર્થીઓના આંદોલનની અસર હવે ઝારખંડ (Student Protest) વિધાનસભા સુધી પહોંચી છે. વિપક્ષી ધારાસભ્યોએ પણ આ મુદ્દે સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું છે કે સરકાર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા તૈયાર છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યું છે, જ્યારે ભાજપે આને માત્ર રાજકીય દેખાવ ગણાવ્યો છે.
ભૂખ હડતાળથી વધતી ચિંતા, વધુ વિરોધ કાર્યક્રમોની તૈયારી
ભૂખ હડતાળ પર બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓની(Student Protest) તબિયત સતત બગડી રહી છે. સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પણ એક વિદ્યાર્થી નેતા સાથે ફોન પર વાત કરીને ઓછામાં ઓછું પાણી પીવાની અપીલ કરી હતી. આ દરમિયાન વિદ્યાર્થી સંગઠન AISAએ પણ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. બીજી તરફ CIDએ પરીક્ષા પાસ કરનાર તમામ 2204 ઉમેદવારોને તેમની કાર્બન OMR શીટ તપાસ માટે જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. હવે સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે થનારી આગામી ચર્ચા તથા ભરતી પરીક્ષા અંગે લેવાતા નિર્ણય પર સૌની નજર ટકેલી છે.
