કર્ણાટકમાં બે બેઠકો પર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર નિવેદનોના વાર કરી રહ્યા છે. તમામ હદ તોડીને બંને પક્ષોએ એકબીજા પર ઉગ્ર હુમલો કર્યો. કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદીને નિરક્ષર કહ્યા હતા, જ્યારે ભાજપે વળતો જવાબ આપતા કહ્યું હતું કે અમારા વડાપ્રધાને અન્ય કોઇ મહિલા સાથે સિગારેટ પીધી નથી અને બારમાં નૃત્ય નથી કર્યું.
કર્ણાટકની હનાગલ અને સિંદગી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી 30 ઓક્ટોબરે યોજાવાની છે. આ પહેલા પણ કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મર્યાદા ઓળંગીને એકબીજા પર શાબ્દિક ટિપ્પણી કરી હતી. એક ટ્વીટમાં કર્ણાટક કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંગૂઠા છાપ ગણાવ્યા હતા, જ્યારે ભાજપે રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર ટિપ્પણી કરી હતી.
કર્ણાટક કોંગ્રેસે ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે શાળાઓ બનાવી, છતાં મોદીએ અભ્યાસ કર્યો ન હતો. ત્યાં એક પુખ્ત શિક્ષણ કાર્યક્રમ હતો, છતા પણ તેમણે અભ્યાસના કર્યો. ભીખ માંગવા પર પ્રતિબંધ છે, જેઓ ભીખ માગીને સરળ જીવન માટે ટેવાયેલા છે તેઓ નાગરિકોને ભિખારી બનાવી રહ્યા છે. ‘અંગૂઠા છાપ મોદી’ના કારણે દેશ પીડિત છે.
ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಲೆಗಳನ್ನು ಕಟ್ಟಿಸಿತ್ತು, ಆದರೂ @narendramodi ಓದಲಿಲ್ಲ, ವಯಸ್ಕರ ಶಿಕ್ಷಣ ಯೋಜನೆಯನ್ನೂ ಮಾಡಿತ್ತು ಆದರೂ ಓದಲಿಲ್ಲ,
ಭಿಕ್ಷಾಟನೆ ನಿಷೇಧವಿದ್ದರೂ ಭಿಕ್ಷೆ ಬೇಡುವ ಸೋಂಬೇರಿ ಜೀವನದ ಗೀಳಿಗೆ ಬಿದ್ದವರು ಇಂದು ದೇಶವಾಸಿಗಳನ್ನು ಬಿಕ್ಷುಕರನ್ನಾಗಿಸಿದ್ದಾರೆ.#ಹೆಬ್ಬೆಟ್ಟುಗಿರಾಕಿಮೋದಿ ಯಿಂದ ದೇಶ ನರಳುತ್ತಿದೆ.
— Karnataka Congress (@INCKarnataka) October 18, 2021
કર્ણાટક કોંગ્રેસની આ ટિપ્પણી પર, ભાજપે તેને અક્ષમ્ય ગણાવી અને તેને પીએમ પર વ્યક્તિગત ટિપ્પણી ગણાવી. ભાજપના કર્ણાટકના પ્રવક્તા માલવિકા અવિનાશે કહ્યું કે, “માત્ર કોંગ્રેસ જ આટલી નીચે આવી શકે છે” અને ઉમેર્યું કે આ ટિપ્પણીનો જવાબ આપવો પણ યોગ્ય નથી. એટલુ જ નહીં કર્ણાટક ભાજપે કોંગ્રેસની આ ટિપ્પણી પર ટિપ્પણી કરી છે. કહ્યું, “હા, તમારા નેતાઓ અમારા પ્રધાનમંત્રીથી અલગ છે. વડાપ્રધાને બીજી મહિલાની સિગારેટ પ્રગટાવતી ન હતી. બારમાં ડાન્સ નહોતો કર્યો. ડ્રગ હેરફેરના કેસમાં ફસાયા નથી. દેશને સમર્પિત જીવન જીવ્યું, તેમના પરિવાર માટે નહીં. “
Dear @INCKarnataka,
ಹೌದು ನಮ್ಮ ಪ್ರಧಾನಿ, ನಿಮ್ಮ ನಾಯಕರಿಗಿಂತ ವಿಭಿನ್ನವಾಗಿದ್ದಾರೆ.
√ ಪ್ರಧಾನಿಯಾಗಿ ಇನ್ನೊಬ್ಬ ಮಹಿಳೆಯ ಸಿಗರೇಟಿಗೆ ಬೆಂಕಿ ಹಚ್ಚಲಿಲ್ಲ.
√ ಬಾರ್ನಲ್ಲಿ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಲಿಲ್ಲ.
√ ಮಾದಕ ವಸ್ತು ಸಾಗಾಣಿಕೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಸಿಕ್ಕಿಬಿದ್ದಿಲ್ಲ.
ದೇಶಕ್ಕೆ ಸಮರ್ಪಿತ ಜೀವವದು, ತನ್ನ ಕುಟುಂಬಕ್ಕಲ್ಲ. pic.twitter.com/fM9GJPpwWC
— BJP Karnataka (@BJP4Karnataka) October 18, 2021
જો કે, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા લાવણ્ય બલ્લાલે સ્વીકાર્યું કે ટ્વીટનો સ્વર દુર્ભાગ્યપૂર્ણ છે અને કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. પરંતુ એ પણ કહ્યું કે આ ટિપ્પણી પાછી ખેંચવા અને માફી માંગવા જેવું કંઈ નથી.