Kedarnath Dham: ચારધામ યાત્રામાંથી એક કેદારનાથ ધામ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. કેદારનાથ મંદિરમાંથી કેટલાય કિલોગ્રામ સોનું ચોરાયું હોવાની વાત સામે આવી રહી છે. જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેને ‘ગોલ્ડ સ્કેમ’ નામ આપ્યું છે. શંકરાચાર્યનો દાવો છે કે મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ થઈ ગયું છે. હવે દિલ્હીમાં કેદારનાથ મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યાં પણ કૌભાંડ થશે. કેદારનાથ મંદિરમાંથી ચોરાયેલા આ સોનાની કોઈ તપાસ થઈ નથી. આખરે આ માટે જવાબદાર કોણ? શંકરાચાર્યના આ ઘટસ્ફોટ પછી બધાને આશ્ચર્ય થયું છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
શંકરાચાર્યે જે સોનાના કૌભાંડનો ઉલ્લેખ કર્યો છે તે ગયા વર્ષે થયું હતું. જૂન 2023માં કેદારનાથ ધામના મુખ્ય પૂજારી સંતોષ ત્રિવેદીએ સોનાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમનો આરોપ હતો કે મંદિરના ગર્ભગૃહની દિવાલો પર 125 કરોડ રૂપિયાનું સોનું ચડાવવામાં આવ્યું હતું. આ સોનું 2005માં કોઈએ દાનમાં આપ્યું હતું. ત્યારબાદ મંદિરની દીવાલો પર સોનું ચડાવવામાં આવ્યું. સંતોષ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે કેદારનાથ મંદિરની દિવાલો પર લાગેલું સોનું હવે પિત્તળમાં ફેરવાઈ ગયું છે.
#WATCH उत्तराखंड: श्री बद्रीनाथ-केदारनाथ मंदिर समिति के अध्यक्ष अजेंद्र अजय ने कहा, "मैं स्वामी अविमुक्तेश्वरानंद का सम्मान करता हूं लेकिन वे दिनभर प्रेस कॉन्फ्रेंस करते रहते हैं…विवाद खड़ा करना, सनसनी फैलाना और चर्चाओं में बने रहना स्वामी अविमुक्तेश्वरानंद की आदत है। केदारनाथ… https://t.co/m6IAAkKSjO pic.twitter.com/0LfdZY1fJN
— ANI_HindiNews (@AHindinews) July 17, 2024
કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી સંતોષ ત્રિવેદીએ માત્ર એવો દાવો કર્યો નથી કે સોનું ચોરાયું હતું પરંતુ તેણે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) પર પણ ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો. જો કે BKTCએ આ આરોપોને સદંતર ફગાવી દીધા હતા. BKTCએ કહ્યું કે સમિતિને બદનામ કરવા માટે સોનાની ચોરીની અફવા ફેલાવવામાં આવી રહી છે. મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે શંકરાચાર્યને પડકાર ફેંકતા કહ્યું કે જો તેઓ ખરેખર માને છે કે મંદિરમાંથી સોનું ચોરાયું છે તો તેમણે સુપ્રીમ કોર્ટમાં જઈને પુરાવા રજૂ કરવા જોઈએ.
તમને જણાવી દઈએ કે કેદારનાથ ધામની તર્જ પર દિલ્હીમાં એક નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ઘણા સંતોએ આ મંદિરનો વિરોધ શરૂ કર્યો છે. સંતો કહે છે કે શિવપુરાણમાં 12 જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે, જેમાંથી એક કેદારનાથ ધામ છે. કેદારનાથ ધામ હિમાલયની ગોદમાં આવેલું છે અને તેના નામે નવું મંદિર બનાવવું એ કેદારનાથ ધામની પવિત્રતાનું અપમાન કરવા બરાબર છે.
આ પણ વાંચો:UPSC EPFOનું અંતિમ પરિણામ જાહેર, જાણો ટોપરનું નામ,અહીંથીજ સીધી લિંક પરથી પરિણામ તપાસો
આ પણ વાંચો:વિવાદો વચ્ચે, તાલીમાર્થી IAS પૂજા ખેડકર સામે કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરીને તેને પરત બોલાવી
આ પણ વાંચો:ડોડામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણમાં 4 જવાન શહીદ, કાશ્મીર ટાઈગર્સે લીધી જવાબદારી
