રથયાત્રા/ અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે કેટલા રસ્તા પર ડાયવર્ઝન, કેટલા બંધ તે જાણો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 20મી જૂને નીકળનારી રથયાત્રા નિમિત્તે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તો કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસે આ નિમિત્તે સઘન ચેકિંગ કરવા માંડયું છે.

Top Stories Ahmedabad Gujarat
Rathyatra અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે કેટલા રસ્તા પર ડાયવર્ઝન, કેટલા બંધ તે જાણો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 20મી જૂને Rathyatra નીકળનારી રથયાત્રા નિમિત્તે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તો કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસે આ નિમિત્તે સઘન ચેકિંગ કરવા માંડયું છે. હવે અષાઢી બીજે નીકળનારી રથયાત્રાના રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલાક રસ્તાઓને બંધ કરીને તેની જગ્યાએ વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

અષાઢી બીજે 20મી જૂને નીકળનારી રથયાત્રાના Rathyatra રૂટમાં આવતા 27 જેટલા રસ્તાંઓને પોલીસ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. આ પછી હવે શહેરના વાહનચાલકોને આના વૈકલ્પિક રસ્તાઓને ઉપયોગ કરવો પડશે. વાહન પાર્કિગ કરવા માટે પણ કેટલાક ખાસ સ્થળોને નક્કી કરવામાં આવ્યા છે, એટલુ જ નહીં ઇમરજન્સી કિસ્સાઓમાં વાહનો પસાર થઇ શકે એ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ચોક્કસ રૂટ પર ખાસ આયોજન પણ કર્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, રથયાત્રાના રૂટ ઉપરાંત અન્ય રસ્તાઓ પર રથયાત્રા પસાર થયા બાદ જ્યારે સ્થિતિની અનુકુળ થશે તે મુજબ આ રૂટને ફરીથી પૂર્વવત શરૂ કરવામાં આવશે.

આગામી 20મી જૂની નીકળનારી રથયાત્રાના દિવસે Rathyatra શહેરના ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફુલ બજારનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહશે, તેમજ રાયખડ ચાર રસ્તા અને આસ્ટોડિયા દરવાજાનો રસ્તો પણ બંધ રહેશે. આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો સાંજે ૪.૩૦ કલાક સુધી બંધ રહેશે અને આ રીતે સાળંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલાનો રસ્તો સવારે નવ કલાકથી બંધ રહેશે અને સાંજે ચાર વાગ્યા બાદ આ રસ્તા ખોલવામાં આવશે.

આ ઉપરાંત દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર Rathyatra ચકલા, રંગીલા ચોકી, આર.સી. હાઇસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેકચોક, ગોળલીમડા સાંજે 5.30 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. મહત્વનું છે કે, રથયાત્રાના દિવસે અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં રાયખડ ચાર રસ્તાથી વિકટૉરિયા ગાર્ડનથી રિવરફ્રન્ટ ફુલબજારથી જમાલપુર બ્રિજથી ગીતા મંદિરનો રસ્તો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે ગાયકવાડ હવેલી જવા માટે રાયખડ ચાર રસ્તાથી જમાલપુર થઇ ગાયકવાડ હવેલી જઇ શકાશે.

 

આ પણ વાંચોઃ Earthquake/ જમ્મુ-કાશ્મીર,લેહલદાખમાં એક જ દિવસમાં ભૂકંપના છ આંચકા

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડાની કચ્છમાં તબાહી પછી રાજસ્થાનમાં બરબાદીઃ સાંચોરમાં ડેમ તૂટ્યો

આ પણ વાંચોઃ Boat Accident/ ગ્રીસમાં બોટ ઊંધી વળતા 300 પાક માઇગ્રન્ટ્સના મોત

આ પણ વાંચોઃ રથયાત્રા/ 146મી રથયાત્રાના નિમિતે ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ, તૈયારી પૂર જોશથી