Solar Eclipse/ આવતીકાલે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે,ગુજરાતમાં આ સમયે જોવા મળશે,જાણો

 દિવાળીના બીજા દિવસે વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ  એટલે કે 25 ઓક્ટોબરે મંગળવારે થવાનું છે.  હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તિક અમાવસ્યા તિથિ પર સૂર્યગ્રહણ થશે

Top Stories India

 દિવાળીના બીજા દિવસે વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ  એટલે કે 25 ઓક્ટોબરે મંગળવારે થવાનું છે.  હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તિક અમાવસ્યા તિથિ પર સૂર્યગ્રહણ થશે. ધર્મમાં માનનારા લોકો સુતકના નિયમોનું ચોક્કસપણે પાલન કરે છે. પંડિત શક્તિ જોશીના મતે ગ્રહણ હંમેશા પૂર્ણિમા કે નવા ચંદ્ર પર થાય છે. આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. ગ્રહણના સમયગાળા દરમિયાન ખાવા પીવાની પણ મનાઈ છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્ય ગ્રહણ રાહુ-કેતુના કારણે થાય છે. જો આપણે તેના વૈજ્ઞાનિક કારણ વિશે વાત કરીએ, તો સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે. નોંધનીય છે  કે આ વખતે સૂર્યગ્રહણ ભારતના કેટલાક ભાગોમાં જોવા મળશે.

દેશના જુદા જુદા શહેરમાં ક્યારે  જોવા મળશે સૂર્યગ્રહણ જાણો.

નવી દિલ્હી- 04:28 PM થી 05:42 PM
કોલકાતા – 04:51 PM થી 05:04 PM
મુંબઈ – 04:49 PM થી 06:09 PM
ચેન્નાઈ – 05:13 PM થી 05:45 PM
પટના – 04:42 PM થી 05:14 PM

જયપુર – 04:31 PM થી 05:50 PM
લખનૌ- 04:36 PM થી 05:29 PM
હૈદરાબાદ- 04:58 PM થી 05:48 PM
બેંગ્લોર – 05:12 PM થી 05:56 PM
અમદાવાદ – 04:38 PM થી 06:06 PM

પુણે – 04:51 PM થી 06:06 PM
ભોપાલ – 04:42 PM થી 05:47 PM
ચંદીગઢ – 04:23 PM થી 05:41 PM
મથુરા – 04:31 PM થી 05:41 PM