નિધન/ ભારતીય શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તુફાનું થયું અવસાન, લતા મંગેશકરે પાઠવી શ્રદ્ધાંજલિ

ઉસ્તાદ ગુલામ મુસ્તફાનું આજે મુંબઈમાં અવસાન થયું છે, જેની માહિતી તેમની પુત્રવધૂ નમ્રતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. નમ્રતાએ તેની પોસ્ટમાં લખ્યું હતું- ‘ભારે હૃદયથી મારે તમને કહેવું પડશે શે કે થોડી મિનિટો પહેલા મારા સસરા, અમારા પરિવારના સ્તંભ અને દેશના મહાન પદ્મવિભૂષણ ઉસ્તાદ ગુલામ મુસ્તફાએ આ વિશ્વને અલવિદા કહી દીધું.’

Entertainment
a 243 ભારતીય શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તુફાનું થયું અવસાન, લતા મંગેશકરે પાઠવી શ્રદ્ધાંજલિ

ભારતીય શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તુફાનું નિધન થયું છે. મુસ્તફા 89 વર્ષના હતા. પ્રખ્યાત હસ્તીઓ લતા મંગેશકર અને એ.આર. રહેમાને ઉસ્તાદ ગુલામ મુસ્તફાના નિધનથી શોક વ્યક્ત કર્યો છે. આ સાથે, ભાવનાત્મક પોસ્ટ લખીને, તેમણે ભીની આંખોથી શાસ્ત્રીય સંગીતના આ મહાન ગાયકને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

Instagram will load in the frontend.

ઉસ્તાદ ગુલામ મુસ્તફાનું આજે મુંબઈમાં અવસાન થયું છે, જેની માહિતી તેમની પુત્રવધૂ નમ્રતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. નમ્રતાએ તેની પોસ્ટમાં લખ્યું હતું- ‘ભારે હૃદયથી મારે તમને કહેવું પડશે શે કે થોડી મિનિટો પહેલા મારા સસરા, અમારા પરિવારના સ્તંભ અને દેશના મહાન પદ્મવિભૂષણ ઉસ્તાદ ગુલામ મુસ્તફાએ આ વિશ્વને અલવિદા કહી દીધું.’

 નમ્રતા ઉપરાંત સ્વરા કોકિલા લતા મંગેશકરે પણ ટ્વિટ કરીને આ સુપ્રસિદ્ધ ગાયકને શ્રદ્ધાંજલિ પાઠવી છે. લતા મંગેશકરે ટ્વીટ કર્યું- ‘મને ફક્ત એક દુખદ સમાચાર મળ્યા કે મહાન શાસ્ત્રીય ગાયક ગુલામ મુસ્તફાખાન સાહેબ આ દુનિયામાં નથી રહ્યા. મને આ સાંભળીને ખૂબ દુ:ખ થયું છે. તે માત્ર સારા ગાયક જ નહોતા, પણ મનુષ્ય પણ ઘણા સારા હતા.

એઆર રહેમાને ટ્વિટ કર્યું- ‘મારા હમેશાંથી પ્રિય શિક્ષક … મને આશા છે કે તમને બીજી દુનિયામાં વિશેષ સ્થાન મળશે’. મળતી માહિતી મુજબ ગુલામ મુસ્તફાને આજે મુંબઇના સાંતાક્રુઝ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ- ખાક કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો