Science Conclave/ દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓને ખૂબ જ ઉત્સાહથી ઉજવીએ : PM નરેન્દ્ર મોદી

21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઊર્જા સમાન છે, જે દરેક ક્ષેત્રના વિકાસને, દરેક રાજ્યના વિકાસને વેગ આપવાની શક્તિ ધરાવે છે

Top Stories Ahmedabad Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે  શનિવારે (10 સપ્ટેમ્બર) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન કોન્ક્લેવનું ઉદ્ઘાટન  કર્યું છે. આ કાર્યક્રમ દેશમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને સરળ બનાવવાના વડાપ્રધાનના પ્રયાસો તરફ એક મહત્વપૂર્ણ પગલું હોવાનું કહેવાય છે. આ બે દિવસીય કોન્ફરન્સનું આયોજન સાયન્સ સિટી, અમદાવાદ, ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, કોન્ફરન્સનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વ્યાપક સંકલન સાથે નેશનલ સાયન્સ, ટેક્નોલોજી અને ઇકોસિસ્ટમ (STI) સિસ્ટમને મજબૂત કરવાનો છે.

આ પ્રસંગે માનનીય પીએમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવનું સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, 21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઊર્જા સમાન છે, જે દરેક ક્ષેત્રના વિકાસને, દરેક રાજ્યના વિકાસને વેગ આપવાની શક્તિ ધરાવે છે. આજે જ્યારે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતના વિજ્ઞાન અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વિજ્ઞાન એ  સમાધાનનું , Solutionનું, Evolutionનું અને Innovation નો આધાર છે. આ પ્રેરણાથી, આજનું નવું ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તેમજ જય અનુસંધાનના આહ્વાન સાથે આગળ વધી રહ્યું છે. પશ્ચિમમાં આઈન્સ્ટાઈન, ફર્મી, મેક્સ પ્લાન્ક, નીલ્સ બોહર, ટેસ્લા જેવા વૈજ્ઞાનિકો તેમના પ્રયોગોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યા હતા. તે જ સમયે સીવી રામન, જગદીશ ચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ, મેઘનાદ સાહા, એસ ચંદ્રશેખર સહિતના ઘણા વૈજ્ઞાનિકો તેમની નવી શોધો સામે લાવી રહ્યા હતા.

જો આપણે છેલ્લી સદીના પ્રારંભિક દાયકાઓને યાદ કરીએ, તો આપણને જણાય છે કે વિશ્વ વિનાશ અને દુર્ઘટનાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ તે યુગમાં પણ, પૂર્વ હોય કે પશ્ચિમ, દરેક જગ્યાએ વૈજ્ઞાનિકો તેમની મહાન શોધમાં વ્યસ્ત હતા. જ્યારે આપણે આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ, ત્યારે વિજ્ઞાન આપણા સમાજનો ભાગ બની જાય છે, તે સંસ્કૃતિનો ભાગ બની જાય છે. તેથી જ આજે મારી પ્રથમ વિનંતી છે કે આપણે આપણા દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓને ખૂબ જ ઉત્સાહથી ઉજવીએ.

અમારી સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની વિચારસરણી સાથે કામ કરી રહી છે. 2014 થી, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારના પ્રયાસોને કારણે આજે ભારત વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં 46મા ક્રમે છે, જ્યારે 2015માં ભારત 81મા ક્રમે હતું. આ અમૃત સમયગાળામાં ભારતને સંશોધન અને નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે આપણે એક સાથે અનેક મોરચે કામ કરવું પડશે. આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંબંધિત અમારા સંશોધનને સ્થાનિક સ્તરે લઈ જવાનું છે.

 

નવીનતાને પ્રોત્સાહિત કરવા માટે, રાજ્ય સરકારોએ વધુને વધુ વૈજ્ઞાનિક સંસ્થાઓની રચના પર અને પ્રક્રિયાઓના સરળીકરણ પર ભાર મૂકવો જોઈએ. રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પણ ઈનોવેશન લેબની સંખ્યા વધારવી જોઈએ. રાજ્યોમાં રાષ્ટ્રીય સ્તરની ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓ છે, રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ પણ છે. રાજ્યોએ તેમની ક્ષમતા અને તેમની કુશળતાનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ. આપણે આપણી વિજ્ઞાન સંબંધિત સંસ્થાઓને પણ સાઈલેન્સમાંથી બહાર લઈ જવી પડશે.

બંધનું એલાન / કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં બંધનું એલાન, વાસદ-બગોદરા હાઇવે ઉપર ટાયર સળગાવી વિરોધ

હાર્દિકનો ‘આપ’ પ્રચાર / વિરમગામમાં ‘ના PM, ના CM ‘માત્ર હાર્દિકના ફોટાવાળા ફુલસ્કેપના ચોપડા વિતરણનો વિવાદ, સ્થાનિક નેતાઓમાં નારાજગી

National / PM મોદીએ જણાવી માતા હીરાબેનની ડઝનબંધ સારી આદતો, તમે પણ વાંચો..