Maharastra/ પાકિસ્તાન પછી જઈશું પેલા PoK પરત લાવો : ફડણવીસના નિવેદન પર રાઉતનો વાર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના ‘અખંડ ભારત’ નિવેદન સામે આક્રોશ પૂર્વક વાર કરતા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, જો કરાચી ભારતનો ભાગ બને છે,

Top Stories India Breaking News
fadnavis and raut પાકિસ્તાન પછી જઈશું પેલા PoK પરત લાવો : ફડણવીસના નિવેદન પર રાઉતનો વાર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના ‘અખંડ ભારત’ નિવેદન સામે આક્રોશ પૂર્વક વાર કરતા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, જો કરાચી ભારતનો ભાગ બને છે, તો અમે તેનું સ્વાગત કરીશું. પરંતુ ભાજપે પહેલા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને ભારત પરત લેવું જોઈએ. પછી કરાચી વિશે વાત કરો.

શિવસેનાના નેતાએ અખંડ ભારતના ફડણવીસના નિવેદનની ટીકા કરતા કહ્યું કે ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું કે શિવસેનાના નેતાએ મુંબઈમાં કરાચી બેકરીનું નામ બદલવાની ધમકી આપ્યા પછી અમે અખંડ ભારત પર વિશ્વાસ કરીએ છીએ. અમારું માનવું છે કે એક દિવસ કરાચી પણ ભારતનો ભાગ બનશે.

જો કે શિવસેનાના નેતાની ધમકી પર પાર્ટીએ પોતાને દૂર રાખી હતી. રાઉતે કહ્યું હતું કે આ રીતનું પક્ષનું વલણ યોગ્ય નથી. કરાચી બેકરી અને કરાચી સ્વીટ છેલ્લાં 60 વર્ષથી મુંબઇમાં છે અને પાકિસ્તાન સાથે તેમનો કોઈ સંબંધ નથી.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….