કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર સવાલ ઉઠાવ્યા છે. સોમવારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ચિરાગ પાસવાને કહ્યું કે રાહુલ ગાંધીના કેટલાક શબ્દો તથ્યો પર આધારિત નથી. ચિરાગ પાસવાને કહ્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન માટે ખોટી ભાષાનો ઉપયોગ કર્યો. તેણે લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. રાહુલ ગાંધીએ કાગળોની નીચે ભગવાન મહાદેવની તસવીર લગાવી હતી. આ સહન કરી શકાય નહીં. ચિરાગ પાસવાને કહ્યું કે આ કોંગ્રેસની વિચારસરણી છે. ડીએમકે ‘સનાતન’ને રોગ માને છે. કોંગ્રેસ પણ આ વિચારથી પ્રભાવિત છે.
વાસ્તવમાં લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ બાદ રાજકીય હોબાળો થયો હતો. તેમના ભાષણના ભાગો સંસદના રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. આ ભાગોમાં હિન્દુઓ અને પીએમ નરેન્દ્ર મોદી-ભાજપ-આરએસએસ પર કરવામાં આવેલી ટિપ્પણીઓનો સમાવેશ થાય છે. ચિરાગ પાસવાને કહ્યું કે જે રીતે રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસ્વીર લહેરાવી અને કાગળની નીચે ટેબલ પર રાખી છે તે સહન કરી શકાય તેમ નથી. તેઓ જે ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યા છે તેમાં આવી વિચારસરણી પ્રવર્તે છે. ડીએમકે ‘સનાતન’ને રોગ કહે છે અને કોંગ્રેસ એ જ વિચારથી પ્રભાવિત છે.
हेलो @iChiragPaswan जी,
क्या आपने कभी अपने पिता जी का सुना है?
अगर आप सुने होते, उन्हें अपना गुरु मानते और उन्हें फॉलो करते तो मोदी जी के हनुमान कभी न होते। pic.twitter.com/RE67VCFarq— Kanchana Yadav (@Kanchanyadav000) July 2, 2024
ચિરાગના આ નિવેદન વચ્ચે તેના પિતા રામવિલાસ પાસવાનનું 25 વર્ષ જૂનું ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે. આ વીડિયોમાં રામવિલાસ પાસવાનને હિંદુત્વ બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે કયાંય હિંદુ ર્ધમ એમ અલગથી કહેવાતું નથી. લોકો હિંદુધર્મ-હિંદુધર્મ કરવા લાગ્યા છે પણ રામાયણ, ગીતા કે ઉપનિષદમાં કયાંય હિંદુ ધર્મનો અલગથી ઉલ્લેખ નથી થતો.
આ પણ વાંચો: ભારતમાં તમામ જીવ જંતુઓની યાદી બનાવતા 1 લાખથી વધુ પ્રજાતિઓ હોવાનું સામે આવ્યું
આ પણ વાંચો: એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ સંસદીય કાર્યવાહી કવરેજ કરવા મીડિયા પરનો પ્રતિબંધ હટાવવા કરી વિનંતી