લોકડાઉન વચ્ચે કોરોના સ્થળાંતર મજૂરો સાથે શ્રેણીબદ્ધ અકસ્માતો બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. મહારાષ્ટ્રનાં યવતમાલમાં મંગળવારે સવારે એક ટ્રક અને બસ વચ્ચે ટક્કર થઇ હતી, જેમાં ચાર પરપ્રાંતિય મજૂર મૃત્યુ પામ્યા હતા અને 15 ઘાયલ થયા હતા. આ પરપ્રાંતિય મજૂરો બસમાં સવાર હતા અને તેમને લઈ જતી બસ સોલાપુરથી ઝારખંડ જઇ રહી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ પહેલા મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં રેલ્વે ટ્રેક ઉપર એક અકસ્માત થયો હતો જેમાં માલગાડી 16 મજૂરનાં ઉપરથી પસાર થઇ ગઇ હતી. તે તમામ મજૂરો રેલ્વે ટ્રેકની મદદથી પોતાના ઘરે પાછા આવી રહ્યા હતા અને ટ્રેક પર આરામ કરવાનું વિચાર્યુ હતુ, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
Maharashtra: 4 migrant workers killed, 15 injured after a bus they were travelling in crashed into a truck, in Yavatmal, early morning today. The bus was travelling from Solapur to Jharkhand. pic.twitter.com/kEURdmqTOx
— ANI (@ANI) May 19, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.