Mumbai News : માણસે કચરો ફેંકવામાટે નદી અને નાળા તો ટીક હવે સમુદ્દને પણ છોડ્યો નથી. પરંતુ મુંબઈમાં દરિયાએ માનવને આ કચરો પરત સુપ્રત કર્યો છે. મુંબઈના બીચ પર ભારે ભરતી પછી ઉછળતા મોજાએ કિનારા પર એટલો કચરો જમા કર્યો કે બીએમસી અને અન્ય વિભાગો માટે પડકાર વધી ગયો છે.આ એજ કચરો છે જે લોકોએ દરિયામાં ફેંક્યો હતો. પરંતુ સમુદ્રએ ચેતવણી આપીને આ કચરો ભરતીના રૂપમાં ફરીથી કિનારે ઠાલવી દીધો હતો. સમુદ્દની આ માનવીને ચેતવણી છે કે જો તેઓ હજી પણ તેમની આદતો નહી સુધારે તો એક દિવસ સમુદ્ર કિનારા પર નહીં પરંતુ તેમના ઘરની સામે જ માનવ કચરો એકઠો કરશે.
સફાઈકામના અનેક પ્રયાસો , જાગરૂકતા અભિયાનો તથા ગંદકી સામે દાહેર સલાહો છતા આ દ્રશ્યો સામે આવતા લોકોની બેદરકારી દર્શાવે છે. અહીં મુલાકાત લેતા અનેક લોકો વારંવાર પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ફેંકે છે જે એક જ વખતમાં આ રીતે પરત આવે છે. અનેક જાગૃતિ કાર્યક્રમો અને ઝુંબેશો છતા લોકો દરિયામાં કચરો ફેંકવાનું બંધ કરતા નથી. લોકો માત્ર એક કપ અથવા સ્ટ્રો સમુદ્રમાં ઉંકી દે તો શું થઈ જવાનું છે તેવું વિચારે છે. પરંતુ દરિયા કિનારે નજરે ચડતો આ કચરો તેમના ચહેરા પર થપ્પડ સમાન છે.બીચની સલામતી અને સ્વચ્છતા અંગે ચિંતિત લોકોએ લખ્યું છે કે પ્લાસ્ટિક પ્રદુષણ સામે કડક નિયમો બનાવવા જોઈએ અને ઘણા વપરાશકર્તાઓએ નિયમો તોડનારા પર ભારે દંડની પણ માંગણી કરી છે.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલનું હવે રિપબ્લિક પેવેલિયન, અશોક હોલનું નામ બદલાયું
