મુંબઈઃ આ સપ્તાહના અંતે ધનતેરસ અને દિવાળીનો તહેવાર છે. આજે, આ તહેવારોના સપ્તાહની બજારમાં શાનદાર શરૂઆત થઈ છે. રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો છે અને સેન્સેક્સ 600 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે. બજારમાં આ વધારો બેન્કિંગ, એનર્જી અને આઈટી શેરોમાં ખરીદીને કારણે થયો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 595 પોઈન્ટના ઉછાળા સાથે 64,959 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 181 પોઈન્ટના ઉછાળા સાથે 19,412 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
વિવિધ ઇન્ડેક્સોની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બેન્ક નિફ્ટી 301 પોઈન્ટના ઉછાળા સાથે 43,619 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે આજના કારોબારમાં માત્ર PSU બેંકોના શેરોના ઈન્ડેક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોના ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા. આજના કારોબારમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદીને કારણે ઈન્ડેક્સ ફરીથી વધારા સાથે બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર ઉછાળા સાથે અને ચાર શેર નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 44 શૅર ઉછાળા સાથે અને 6 ઘટાડાની સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3 લાખ કરોડનો વધારો
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 318.17 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 315.17 લાખ કરોડ હતું. આજના વેપારમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 3 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચોઃ Murder/ બેંગલુરુમાં ગેરકાયદે ખનન અને રેતી માફિયા સામે કાર્યવાહી કરનાર મહિલા અધિકારીની થઈ હત્યા
આ પણ વાંચોઃ Delhi Pollution/ દિલ્હીમાં ભારે પ્રદૂષણના લીધે શેનું થશે પુનરાગમન?
આ પણ વાંચોઃ Indian Economy/ ભારતીય ઇકોનોમી છે ટનટનાટનટન…
