રાજકોટ/ RMCની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની ત્રણ હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે તા. ૧૭-૦૬-૨૦૨૧ ના રોજ શહેરની ત્રણ હોસ્પિટલોએ વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં

Gujarat

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે તા. ૧૭-૦૬-૨૦૨૧ ના રોજ શહેરની ત્રણ હોસ્પિટલોએ વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેકટીકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

કોરોનાકાળમાં સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં અનેક હોસ્પિટલોમાં આગજનીની ઘટનાઓ સામે આવી હતી.જેમાંથી રાજકોટમાં પણ શિવાનંદ હોસ્પિટલમાં બોર્ડમાં આગ લાગતા ૫ લોકો આગમાં હોમાઈ ગયા હતા. આવી ઘટનાઓ ન ઘટે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા આજે વધુ એક મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી.

શહેરમાં જે ત્રણ હોસ્પિટલોએ મોકડ્રીલ કરવામાં આવી હતી તેમાં (૧) પ્રભુકૃપા હોસ્પિટલ – જયુબેલી બાગ પાસે, (૨) દેવશ્ય હોસ્પિટલ – પટેલ વાડી પાછળ, રણછોડનગર અને (૩)સાર્થક હોસ્પિટલ અને આઈ.સી.યુ. – રાજનગર ચોક પાસેની હોસ્પિટલ ખાતે મોકડ્રીલ કરવામાં આવી હતી.આ મોકડ્રીલની કામગીરી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની આજ્ઞાનુસાર ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર અને ડે. ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટેશન ઓફિસર અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.