Bomb blasts in Nigeria: નાઈજીરિયામાં બુધવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 50થી વધુ પશુપાલકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર વિસ્ફોટ મધ્ય નાઈજીરિયામાં થયો હતો, જેમાં 50થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર જ્યાં વિસ્ફોટ થયો છે તે તણાવવાળો વિસ્તાર છે. પશુપાલકો અને તેમના પશુઓ નસારાવા અને બેનુ રાજ્યોની સરહદ પર આવેલા ગામ રુકુબીમાં હતા ત્યારે બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
નાઈજીરીયાના (Bomb blasts in Nigeria) મિયાતી અલ્લાહ કેટલ બ્રીડર્સ એસોસિયેશનના પ્રવક્તા તાસીયુ સુલેમાને જણાવ્યું હતું કે ફુલાની પશુપાલકોનું એક જૂથ તેમના ઢોરને બેનુથી નસારાવા તરફ લઈ જઈ રહ્યું હતું ત્યારે વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. સુલેમાને કહ્યું કે ઓછામાં ઓછા 54 લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા અગણિત છે.
નાસરવાના (Bomb blasts in Nigeria:) ગવર્નર અબ્દુલ્લાહી સુલેએ વિસ્ફોટમાં કેટલા લોકો માર્યા ગયા તે જણાવ્યું ન હતું, પરંતુ પત્રકારોને જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ મૃત્યુ માટે જવાબદાર છે. જો કે આ બ્લાસ્ટ પાછળ કોનો હાથ છે તે અંગે તેણે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. તેમણે કહ્યું કે તેઓ સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક કરી રહ્યા છે જેથી આ ઘટનાને કારણે તણાવ ઓછો થાય.
