Ayodhya Ram Temple/ શ્રી રવિશંકરએ આપ્યું નિવેદન,કહ્યું “પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહી છે”

હાલ રામ મંદિરની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે ત્યારે શ્રી રવિશંકરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે રામ મંદિરને લઈને અગત્યની વાત કહી છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 19T095907.978 શ્રી રવિશંકરએ આપ્યું નિવેદન,કહ્યું "પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહી છે"

હાલ રામ મંદિરની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે ત્યારે શ્રી રવિશંકરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમને રામ મંદિરને લઈને અગત્યની વાત કહી છે. કહ્યું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ દ્વારા થઈ રહી છે. એમને કહ્યું કે કેટલાક લોકો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ વિવાદ પર ખીલે છે. તે તેને પસંદ છે. પરંતુ તેના પર વધુ ધ્યાન આપવું તે યોગ્ય નથી.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈ ઉપજેલા વિવાદ પર આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરે નિવેદન આપ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે પસંદ કરવામાં આવેલા મુહૂર્ત અંગેની ચિંતાને રવિશંકરે ફગાવી દીધી છે. તેમને લોકોને એકતા, વિશ્વાસ અને રાજકીય વિભાજનથી દૂર રહી પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવા વિનંતી કરી અને સાથે સમારોહથી જોડાયેલી વિભિન્ન ચિંતાઓથી પણ દૂર રહેવા આગ્રહ કર્યો છે. તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી ગર્ભગૃહ, આંતરિક ગર્ભગૃહ પૂર્ણ છે, ત્યાં સુધી પવિત્રતા વાસ્તવમાં આગળ વધી શકે છે.

ગર્ભગૃહ પૂર્ણ છે: શ્રી રવિશંકર

શ્રી રવિશંકરે સમારોહ માટે પસંદ કરેલા મુહૂર્ત અંગેની ચિંતાઓને ફગાવી દીધી અને કહ્યું કે કોઈ પણ મુહૂર્ત ક્યારેય સંપૂર્ણ પણે દોષરહિત હોતું નથી. જો તમે કોઈપણ મુહૂર્ત પસંદ કરશો તો તેમાં કેટલીક ખામીઓ હશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે નીકાળવામાં આવેલું મુહૂર્ત યોગ્ય અને શુભ છે તેમજ તે યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય રીતે થઈ રહ્યું છે. ગર્ભગૃહ પૂર્ણ છે તેથી પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાશે. તેવું શ્રી રવિશંકરે જણાવ્યું છે.

આવી મહાન ક્ષણે વિવાદ થશે – શ્રી રવિશંકર

પ્રાણ પ્રતિષ્ઠાની પવિત્રતા પર ચાલી રહેલા વિવાદ પર શ્રી રવિશંકરે કહ્યું આવું કાર્ય, આટલી મહાન ક્ષણ, શું તમને લાગે છે કે, તે કોઈપણ વિવાદ વિના ચાલશે? તેના પર થોડો વિવાદ થશે અને કેટલાક લોકો વિવાદમાં ખીલશે. તે લોકોને તે વિવાદમાં ખીલવું ગમે છે. તેથી તેના પર વધુ ધ્યાન આપવું તે યોગ્ય નથી. કેટલાક લોકો કહે છે કે આ એક અધૂરું મંદિર છે ત્યારે હું કહીશ કે તેમાં તમારું જીવન સમર્પણ કરો. જ્યારે શ્રી રામે રામેશ્વરમાં શિવની લિંગ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. તેણે અગાઉ કોઈ બાંધકામ કર્યું ન હતું. તેમને  બાંધકામ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરી, પછી મંદિરમાં શિવલિંગની પ્રદક્ષિણા કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Ayodhya Ram Temple/કૃષ્ણના મોરપીંછ પર બિરાજ્યા રામ,જુઓ અદભૂત તસવીરો

આ પણ વાંચો:વડોદરા દુર્ઘટના/વડોદરા બોટ દુર્ઘટના મામલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોકની લાગણી વ્યકત કરી

આ પણ વાંચો:આગ/દિલ્હીના પિતામપુરા વિસ્તારના મકાનમાં આગ લાગતા પાંચ લોકો જીવતા ભૂંજાયા,બે લોકો ઇજાગ્રસ્ત