વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં આજે હોડી પલટી જતા મોટી દુર્ઘના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં 12 વિધાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નિપજયા છે,અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ પણ સંવેદના વ્યકત કરી,તેમણે ટ્વિટ કરીને લખ્યું વડોદરમાં હોડી પલટી જવાની દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકના મૃત્યુના સમાચાર અત્યંત દુખદ છે.,હું આ શોકની લાગણીમાં પરિવાર પ્રત્યે સવેદના વ્યકત કરૂ છું,અને બચાવ કાર્યની સફળતાની મનોકામના કરૂ છું . આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિએ ટ્વિટ પર દુખની લાગણી વ્યક્ત કરી હતી.
गुजरात के वडोदरा में नाव दुर्घटना में बच्चों और अध्यापकों की मृत्यु का समाचार अत्यंत दुखद है। मैं शोक संतप्त परिवारजनों के प्रति गहन संवेदना व्यक्त करती हूं और बचाव कार्य की सफलता की कामना करती हूं।
— President of India (@rashtrapatibhvn) January 18, 2024
Profoundly saddened by the tragic loss of precious lives, including children and teachers, in a boat capsize incident at Harni Lake, Vadodara, Gujarat. My heartfelt condolences go out to the bereaved families during this difficult time.
— Vice President of India (@VPIndia) January 18, 2024
ઉલ્લેખનીય વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા
આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ