Surendranagar News : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (મનપા)માં ફરજ બજાવતા એન્જિનિયરે જોરાવરનગર રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે અચાનક પડતું મૂકી તેમણે જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર મનપામાં ચકચાર મચ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર મનપાના એન્જિનિયર નિલેશ દુધરેજીયાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કામના ભારણને કારણે આપઘાત કર્યો હોવાની શંકા વર્તાઈ રહી છે. નિલેશ દુધરેજીયા નામના એન્જિનિયરે આપઘાત કર્યો. જોરાવરનગર રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે અચાનક પડતું મુકીને આપધાત કર્યો. પોલીસ અને રેલવે વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. સમગ્ર મામલે ચકચાર મચ્યો છે.
જોકે, આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે.આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એન્જિનિયરના આપઘાતથી મનપાના કર્મચારીઓમાં પણ ગમગીની છવાઈ છે.
આ પણ વાંચો: નડિયાદ લઠ્ઠાકાંડ કેસઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો, સોડા પીવાના કારણે મોત !
આ પણ વાંચો:નડિયાદમાં મલારપુરા વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો
આ પણ વાંચો:નડિયાદ શહેરમાં ચોમાસા દરમિયાન જળબંબાકારથી કાંસની સફાઈના કૌભાંડનો પર્દાફાશ
