Navsari News: ધારાસભ્ય યોગેશ પટેલે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પર કરેલા કટાક્ષ મામલે રાજકારણ ગરમાયું છે….જેમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને સ્નેહમિલન સમારોહમાં જવાબ આપ્યો છે….મોટા નેતાએ કહ્યું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે આટલા બધા પ્રાથમિક સભ્યો બન્યા કેવી રીતે?..એમની વાત સાચી છે, સંશોધનનો વિષય છે તો છે જ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારે ત્યાં કેમ સભ્યો ન બન્યા હતા…
હાલ વડોદરાના બે ધારાસભ્યો આવ્યા સામ સામે આવ્યા છે. હાલ બંન્ને ધારાસભ્યે કરેલા કટાક્ષ મામલે રાજકારણ ગરમાયુ છે.આપણે જણાવી દઈએ આ મામલો યોગેશ પટેલે ચૈતન્ય દેસાઈ પર કરેલા કટાક્ષનો છે. જેનો યોગેશ પટેલને સ્નેહમિલન સમારોહમાં જવાબ આપ્યો છે. જેમાં બધા નેતાઓએ ‘આટલા બધા પ્રાથમિક સભ્યો બન્યા કેવી રીતે ?’તેવો પ્રશ્ન કર્યો હતો. તેમજ ‘યોગેશ કાકાએ કાચબા-સસલાંની કહેવત સાચું કરી બતાવી’અને ‘યોગેશ કાકા સસલાં અને હું કાચબો નીકળ્યો’ તેવું કહ્યું હતું.
ત્યારે ચૈતર વસાવા એ કરેલ અલગ પ્રદેશ ની માંગણી બાદ નરેશ પટેલ ની પ્રતિક્રિયા સામે આવી છે. એટલુજ નહીં માજી કેબિનેટ મંત્રી અને વર્તમાન ગણદેવી ધારાસભ્યએ પણ પ્રતિક્રિયા આપી છે. આ સાથેજ આદિવાસી સમાજ ને ગુજરાત ના વિકાસ થી સંતોષ છે તેવું નરેશ પટેલ દ્રારા કહેવામા આવ્યું હતું. આ સાથેજ આદિવાસી સમાજ નરેન્દ્રભાઇ ની સાથે છે અને આદિવાસી સમાજ ના વિકાસ માં વિઘ્ન નાખવાનું બંધ કરો સાથે સાથે માંગણી ને સખત શબ્દો માં વખોડુ છું.તમારી કોશિશ ને સમાજ ચલાવી લેશે નઈ તેવું પણ નરેશ પટેલે કહ્યું હતું.
આપણે જણાવી દઈએ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને સ્નેહમિલન સમારોહમાં જવાબ આપ્યો છે અને બીજા મોટા નેતાઓએ કહ્યું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે આટલા બધા પ્રાથમિક સભ્યો બન્યા કેવી રીતે? અને કટાક્ષ કરતાં કહ્યું કે એમની વાત સાચી છે, સંશોધનનો વિષય છે તો છે જ પરંતુ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારે ત્યાં કેમ સભ્યો ન બન્યા. તેમજ યોગેશ કાકાએ કાચબા અને સસલાંની કહેવત સભળાવી હતી જેને અમે સાચું કરી બતાવ્યું જેમાં યોગેશ કાકા સસલાં અને હું કાચબો નીકળ્યો. વધુમા તેમણે કહ્યું કે વધુ સભ્યો બન્યા એ મારી આવડત છે, અમે સૌથી આગળ જઈશું.
આ પણ વાંચો:AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના વધુ રિમાન્ડ કરાયા નામંજૂર
આ પણ વાંચો:ઝરવાણી ગામમાં પાણી પહોંચ્યું નથી, પણ 62 કરોડના કામ થઈ ગયાઃ ચૈતર વસાવા
આ પણ વાંચો:ભરૂચમાં આપના ચૈતર વસાવા નિશ્ચિતઃ મુમતાઝ પટેલને ના ઉતારાતા કોંગ્રેસમાં નારાજગી
