ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડીરેક્ટર પદે નરહરિ અમીનને અનુકૂળ પરિણામો મળ્યા છે. ગુજરાતનાં રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને 1 જાન્યુઆરી 2025ના રોજ થયેલી ગુજરાત રાજ્ય સહકારી સંઘની ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરીને બિનહરીફ ચૂંટાયા છે.
નરહરિ અમીનને 2024-2029 માટે 5 વર્ષની મુદત માટે ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડીરેક્ટર પદે ચૂંટાઈ આવ્યા છે. નરહરિ અમીન સતત 5મી ટર્મમાં પણ બિનહરીફ જાહેર થયા છે.તેમને સમગ્ર રાજ્યમાં બહોળા ક્ષેત્રોમાં કાર્યક્ષેત્ર ધરાવતી હાઉસિંગ, દૂધ, બેંકિંગ, અને કન્ઝ્યુમર સહકારી સંસ્થાઓનાં વિભાગોમાં બિનહરીફ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલ છે.
તેઓ 2007-2008ના વર્ષથી રાજ્ય સહકારી સંઘમાં સતત પાંચમી ટર્મ માટે ડીરેક્ટર તરીકે સેવા આપે છે. નરહરિ અમીનની ચૂંટાઈ જવાથી ગુજરાત રાજ્યના સહકારી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે અને તેઓ આગળના વર્ષની વિકાસ યાત્રામાં વધુ સારી સેવા પુરી પાડશે.
આ પણ વાંચો: મંતવ્ય ન્યુઝ વિશેષ રજૂઆત ગૌરવવંતો ગુજરાતી, નરહરિ અમીન સાથે.
આ પણ વાંચો: નોધારી કોંગ્રેસમાં જુથબંધીને લઈને 219 સીટ બિન હરીફ, ભાજપનો ભગવો લહેરાયો : નરહરિ અમીન
