નવી દિલ્હી,
ગુરુવારથી સંસદનું બજેટ સત્ર શરુ થઇ રહ્યું છે ત્યારે સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે થઇ છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ છેલ્લા ૪.૫ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રજાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી અને સરકારની પણ પ્રશંસા કરી હતી.
Delhi: President Ram Nath Kovind addresses both Houses of the Parliament #BudgetSession pic.twitter.com/EblR8SZYgj
— ANI (@ANI) January 31, 2019
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં કહ્યું,
મારી સરકારે દેશમાં આયુષમાન યોજના શરુ કરી છે અને જેનાથી ગરીબોને મફતમાં સારવાર અપાઇ રહી છે.
હવે ગામડાની સ્થિતી સુધરી રહી છે.
President Ram Nath Kovind: Healthcare is my government’s topmost priority. I am happy to inform you that the benefits of government’s schemes are reaching poorest of the poor. pic.twitter.com/N6LvFsNlq4
— ANI (@ANI) January 31, 2019
આયુષ્યમાન યોજના હેઠળ ૪ મહિનામાં ૧૦ લાખ લોકો સારવાર લઈ ચુક્યા છે.
સરકાર દ્વારા ૪ હજાર જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય કુપોષણ યોજના શરુ કરાઇ છે.
દેશના દરેક ઘરને વીજળી આપવાનો પ્રયાસ સરકારે કર્યો છે.
મધ્યમવગઁની આવક વધે તેવા પ્રયાસ કરાયા છે.
દેશના ૨૧ કરોડ લોકોને વીમા યોજના અપાઈ છે.
દિવ્યાંગો માટે ૧૪૦ સહાયતા શિબિર યોજના શરુ કરાઇ છે.
સામાજિક, આથિઁક ન્યાય વ્યવસ્થા માટે સરકાર દ્વારા પ્રયાસ કરાયા છે અને કરનો બોજો ઓછો પડે તે માટે કામ કર્યું છે.
મોદી સરકાર દ્વારા દેશના લોકો માટે પ્રાથમિક સુવિધાઓ પર ધ્યાન આપ્યું છે.
President Ram Nath Kovind: GST is a long-term policy and is a boon for the business sector. The taxpayers in the country trust this government. pic.twitter.com/3wkxZGyPoK
— ANI (@ANI) January 31, 2019
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ એક લાંબા સમયની પ્રક્રિયા છે અને બિઝનેસ સેક્ટર માટે એક સ્ટોન સાબિત થશે.
દેશના તમામ કરદાતાઓને સરકાર પર વિશ્વાસ છે.
President Kovind: Under Jan Dhan Yojana, 34 crore people have opened a bank account & almost every family in the country is connected to the banking system. According to an international agency, 55% of the total bank accounts opened between 2014-2017 were opened in India itself. pic.twitter.com/Zdp3fcRIBH
— ANI (@ANI) January 31, 2019
જન ધન યોજના હેઠળ ૩૪ કરોડ લોકોએ બેન્કોમાં પોતાના ખાતા ખોલાવ્યા છે.
આ યોજનાથી દેશના લગભગ તમામ પરિવારો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલા છે.
આજે ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.
આંતરરાષ્ટ્રીય એજન્સીઓના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૧૪- ૨૦૧૭ વચ્ચે ભારતમાં જ માત્ર ટોટલ એકાઉન્ટના ૫૫ ટકા ખાતાઓ ખુલ્યા છે.
President Ram Nath Kovind: Citizenship Amendment Bill will make it easier to provide Indian citizenship to those who had to take refuge in India after facing oppression somewhere else. They were not at fault, they were victims of situations like that. pic.twitter.com/zX0IKJVuOu
— ANI (@ANI) January 31, 2019
સિટીજન એમેન્ડમેન્ટ બીલથી બહારથી આવેલા લોકોને દેશની નાગરિકતા મળી શકશે અને તેઓને જે અગવડો પડી રહી હતી એમાં પણ ઘટાડો થશે.
સરકાર દ્વારા ૪ વર્ષમાં ૧૩ કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે દેશમાં ૯ કરોડ શૌચાલયો બાંધીને દીકરીઓ માટે એક ગરીમારૂપ જિંદગી જીવવા માટેનું કામ કર્યું છે.
૨૦૧૪ પહેલા દેશ અનિશ્ચિત્તામાંથી પસાર થઇ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ મારી સરકાર આવવાની સાથે જ એક નવા ભારતના નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો.
સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ કરાયો છે.
