દંતેવાડા,
દેશના નકસલવાદથી પ્રભાવિત રાજ્યોમાના એક છત્તીસગઢના દંતેવાડામાં મંગળવાર સવારે એક મોટો નક્સલી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં ૨ જવાનો શહીદ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે, તેમજ દુરદર્શન ચેનલના એક કેમેરામેનનું મોત થયું હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.
#UPDATE Two security personnel have also lost their lives in the attack by Naxals in Dantewada's Aranpur #Chhattisgarh https://t.co/VbvIfLHkFn
— ANI (@ANI) October 30, 2018
Doordarshan crew attacked by Naxals in Dantewada's Aranpur. More details awaited. #Chhattisgarh pic.twitter.com/rAJBEGoy0H
— ANI (@ANI) October 30, 2018
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છત્તીસગઢના દંતેવાડામાં મંગળવાર સવારે પોલીસ અને નક્સલીયો વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું.
Dantewada Naxal attack: Two security personnel who were injured brought to hospital. Two security personnel and a DD cameraman lost their lives in the attack. #Chhattisgarh pic.twitter.com/ZiqbwiNbNs
— ANI (@ANI) October 30, 2018
મળતી માહિતી મુજબ, સુરક્ષાબળોના જવાનો દંતેવાડાના અરનપુર વિસ્તારમાં સર્ચિંગ ઓપરેશન માટે નીકળ્યા હતા. જો કે આ દરમિયાન જ નીવાલાયા વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ આ જવાનો પર ફાયરિંગ શરુ કર્યું હતું. ગોળીબારીમાં પોલીસબળોના ૨ જવાન ઘાયલ થયા છે. હાલમાં આ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ જ છે.
દંતેવાડાના એડિશનલ SP ગોરખનાથ બઘેલે આ હુમલાની પૃષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “હુમલામાં ઘાયલ થયેલા કેમેરામેનની હાલત ખૂબ જ નાજુક હતી અને ત્યારબાદ તેઓને સારવાર માટે જવાનો લઈ જઈ રહ્યા હતા ત્યારે તેઓએ દમ તોડ્યો હતો”.
બતાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો એ સમયે કરવામાં આવ્યો જયારે દિલ્હી દૂરદર્શનની એક ટીમ જંગલની અંદર સુરક્ષાબળો સાથે તેઓની ગતિવિધિઓનું કવરેજ કરવા માટે પહોંચી હતી.
જો કે આ વિસ્તારમાં નક્સલીઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે, પરંતુ જયારે આ ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી ત્યારે જ તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
