નવી દિલ્હી,
લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે એમ હવે કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર દ્વારા બીજીવાર સત્તા પર બિરાજમાન થવા માટે અનેક પ્રજાલક્ષી જાહેરાત કરાઈ રહી છે, ત્યારે હવે મંગળવારે સરકારે ખેડૂતલક્ષી જાહેરાતો કરી છે.
A high-level committee chaired by Union Home Minister Rajnath Singh, approves Central assistance of Rs 7,214.03 crore to states affected by natural disasters. pic.twitter.com/6UQIysyLCO
— ANI (@ANI) January 29, 2019
ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી એક હાઈ લેવલ કમિટીમાં દુષ્કાળથી પ્રભાવિત દેશના અલગ અલગ રાજ્યો માટે કુલ ૭૨૧૪.૦૩ કરોડ રૂપિયા કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવ્યા છે.
The committee approved Rs 317.44 crore to Himachal Pradesh, Rs 191.73 crore to Uttar Pradesh, Rs. 900.40 crore to Andhra Pradesh, Rs. 127.60 crore to Gujarat, Rs. 949.49 crore to Karnataka, Rs. 4,714.28 crore to Maharashtra and Rs. 13.09 crore to UT of Puducherry. https://t.co/vaihcLU1Ck
— ANI (@ANI) January 29, 2019
સરકારની આ કમિટી દ્વારા હિમાચલ પ્રદેશ માટે ૩૧૭.૪૪ કરોડ રૂપિયા, ઉત્તરપ્રદેશ માટે ૧૯૧.૭૩ કરોડ રૂપિયા, આંધ્રપ્રદેશ માટે ૯૦૦.૪૦ કરોડ રૂપિયા, ગુજરાત માટે ૧૨૭.૬૦ કરોડ રૂપિયા, કર્ણાટક માટે ૯૪૯.૪૯ કરોડ રૂપિયા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરી માટે ૧૩.૦૯ કરોડ રૂપિયા ફળવાયા છે.
જયારે દુષ્કાળથી પ્રભાવિત એવા મહારાષ્ટ્ર માટે સરકાર દ્વારા દેશમાં સૌથી વધુ ૪૭૧૪.૨૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા મોદી સરકારને ખેડૂત વિરોધી ગણાવવામાં આવી રહી છે અને પીએમ મોદી પર સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે.
