Not Set/ હું “ફિટ ઇન્ડિયા”ના મિશનમાં દેશવાસીઓને જોડાવવા માટે નિમંત્રણ આપું છું : મન કી બાતમાં PM મોદી

દિલ્લી, આજે એપ્રિલ મહિનાનો અંતિમ અને ચોથો રવિવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે પોતાના “મન કી બાત”ના કાર્યક્રમ દ્વારા દેશના કરોડો લોકોને સંબોધિત કર્યાં હતા. ૩ ઓકટોબર, ૨૦૧૪ના રોજ શરુ કરવામાં આ કાર્યક્રમ બાદ રવિવારે મન કી બાતનું આ ૪૩મું સંસ્કરણ હતું. મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધતા હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના […]

Top Stories India

દિલ્લી,

આજે એપ્રિલ મહિનાનો અંતિમ અને ચોથો રવિવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે પોતાના “મન કી બાત”ના કાર્યક્રમ દ્વારા દેશના કરોડો લોકોને સંબોધિત કર્યાં હતા. ૩ ઓકટોબર, ૨૦૧૪ના રોજ શરુ કરવામાં આ કાર્યક્રમ બાદ રવિવારે મન કી બાતનું આ ૪૩મું સંસ્કરણ હતું.

મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધતા હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓને મળેલી સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત દેશના સ્વચ્છત ભારત સમર ઇન્ટર્નશિપમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો તેમજ ફિટ ઇન્ડિયા અને આગામી માસમાં આવનારા રમઝાનના પવિત્ર મહિના માટે પણ શુભકામનાઓ આપી હતી.

ગોલ્ડ કોસ્ટમાં રમાયેલા કોમનવેલ્થ ગેમ્સની સફળતા અંગે જણાવ્યું,

હાલમાં જ કોમનવેલ્થ ગેમ્સ રમાઈ. આ ગેમ્સમાં ભારત સહિતના દુનિયાના તમામ દેશોએ ભાગ લીધો હતો. આ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ જોશ અને જૂનુન જોવા મળ્યો. આપહેલા લોકો વિચારતા હતા કે ભારતને કેટલા મેડલ મળશે. પરંતુ ભારતના ખેલાડીઓએ દેશવાસીઓની અપેક્ષા મુજબ પ્રદર્શન કરતા ૨૬ ગોલ્ડ સહિત કુલ ૬૬ મેડલ મેળવ્યા.

આ કોમનવેલ્થ ગેમ્સમાં ૬૬ મેડલ મેળવવા એ માત્ર ખેલાડીઓની જ નહિ પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. જયારે અપના દેશના ખેલાડીઓ મેડલ જીતી તિરંગો લપેટી રાષ્ટ્રગીત વાગે છે ત્યારે આપણને ગર્વ થાય છે.

મન કી બાત દરમિયાન પીએમ મોદીએ દેશમમ ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અંગે જણાવતા કહ્યું, સરકારના ત્રણથી ચાર મંત્રાલયો દ્વારા એક સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશિપ ૨૦૧૮ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સમર ઇન્ટર્નશિપથી સ્વચ્છતાને પ્રોત્સાહન મળશે તેમજ દેશના યુવાનો માટે આ એક ખાસ તક છે. જેઓ આ સમયગાળા દરમિયાન ઇન્ટર્નશિપ સારી કરશે તેઓને પુરસ્કાર આપવામાં આવશે.

મન કી બાત દરમિયાન પીએમ મોદીએ રમઝાનના પવિત્ર માસ માટે પણ શુભકામનાઓ આપી હતી અને તેઓએ આશા જતાવતાં કહ્યું, આ અવસર લોકોને શાંતિ અને સદભાવના માટે તેઓના સંદેશા પર ચાલવા માટે પ્રેરણા આપશે.

પીએમ મોદીએ મન કી બાત દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, રવીન્દ્રનાથ ટાગોર અને પયંગબર સાહેબ અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.

મન કી બાત દરમિયાન યુનેસ્કોમાં સ્થાન પામેલી અડાલજની વાવ, બુદ્ધ પૂર્ણિમાના દિવસ, ભગવાન બુદ્ધની શિક્ષા તરફના પ્રયાસો અંગે પણ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની ચીનની વિદેશ યાત્રા સમાપ્ત કર્યાં બાદ રાજધાની દિલ્લી પહોચ્યા હતા અને ત્યારબાદ તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા રવિવારે આકાશવાણી પ્રસારિત થનારા “મન કી બાત”ના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.