Not Set/ એમ્સમાંથી રજા આપ્યા બાદ લાલુ યાદવે લખ્યો પત્ર, કહ્યું, “જો મને કશું થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે”

રાંચી, ઘાસચારા કૌભંડમાં આરોપી રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવની તબિયત નાદુરસ્ત હોવાના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહિના સુધી તેમની સારવાર આપ્યા બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે તેઓએ એમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ)ને એક પત્ર લખ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો દ્વારા એમ્સને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું […]

India

રાંચી,

ઘાસચારા કૌભંડમાં આરોપી રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવની તબિયત નાદુરસ્ત હોવાના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહિના સુધી તેમની સારવાર આપ્યા બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે તેઓએ એમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ)ને એક પત્ર લખ્યો છે.

રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો દ્વારા એમ્સને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, “હોસ્પિટલમાં મારી તબિયત હજી ઠીક નથી થઈ, મારે હજી તબીબી સારવારની જરૂર છે. કયા રાજકીય દબાણને વશ થઈને મને અહીંથી હટાવવામાં આવી રહ્યો છે. જો મને કશું પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી તમારા શિરે આવશે”.

તેઓએ પોતાના પત્રમાં વધુમાં જણાવતા કહ્યું, “મારી તબિયત સારી ન હોવાના કારણે મને હજી એમ્સમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. હું હજી હૃદયરોગ, કીડની ઈન્ફેકશન, ડાયાબીટિસ જેવા રોગોથી પીડાઈ રહ્યો છું. મને વારંવાર ચક્કર આવે છે, હું અનેકવાર બાથરૂમમાં પડી ગયો છું. મારી આ બધા રોગોની સારવાર ચાલે છે . દરેક નાગરિકનો એ મૂળભૂત બંધારણીય અધિકાર છે કે એની બીમારીની સારવાર એની ઈચ્છા મુજબ અને સંતોષકારક રીતે થાય. મને ખબર નથી કે કયા રાજકીય દબાણને વશ થઈને મને અહીંથી હટાવવામાં આવી રહ્યો છે પરંતુ જો મને કશું પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી તમારા શિરે આવશે”.

મહત્વનું છે કે, લાલુપ્રસાદ યાદવ હાલમાં ઘાસચારા કૌભાંડના કેસમાં આરોપી તરીકે જેલની સજા ભોગવી રહ્યા છે. જેલમાં તેઓની તબિયત બગડતાં લાલુ યાદવને રાંચી ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જો કે ત્યારબાદ, તેઓની તબિયત વધુ લથડતા એમને નવી દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ કરાયા હતા. જ્યાં એક મહિના સુધી તેમની સારવાર કરવામાં આવી હતી. આ સારવાર દરમિયાન તેમની તબિયત હવે ઠીક થઈ ગઈ છે એવું કારણ જણાવીને તેમને એમ્સમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓને રાંચી ખાતે લઇ જવામાં આવ્યા હતા. જેને કારણે લાલુપ્રસાદે ગુસ્સો પ્રગટ કરીને સત્તાવાળાને પત્ર લખ્યો હતો.