મૈસુર,
દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ચુક્યું છે. આ ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું અજમાવવામાં આવી રહ્યું છે, ત્યારે મંગળવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મિશન કર્ણાટક પર છે.
મિશન કર્ણાટક પર મૈસુર પહોચેલા પીએમ મોદીએ મંગળવારે ૩ રેલી યોજવાના છે, ત્યારે તેઓએ ચામરાજનગરમાં પ્રથમ રેલીને સંબોધિત કરી હતી.
#WATCH PM Modi addresses public rally in Mysuru's Santhemarahalli https://t.co/DdB8fs0HLw
— ANI (@ANI) May 1, 2018
ચામરાજનગરમાં જાહેરસભાને સંબોધતા તેઓએ જણાવ્યું, “કર્ણાટકની ચુંટણીમાં ભાજપની હવા નહીં પણ આંધી જોવા મળશે”.
જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું,
There is not a BJP wave in Karnataka but it is a BJP storm: PM Narendra Modi addressing public rally in Mysuru pic.twitter.com/7CU03lyP5S
— ANI (@ANI) May 1, 2018
દિલ્લીમાં કર્ણાટકની ચૂંટણીની માહિતી સામે આવે છે કે, ભાજપની હવા ચાલી રહી છે. પરંતુ આજે પહેલી જાહેરસભા છે ત્યારે લાગી રહ્યું છે કે, કર્ણાટકમાં ભાજપની આંધી ચાલી રહી છે.
આજે મજુર દિવસ છે, મહેનત કરવાવાળા લોકોએ જ આ દેશને બનાવ્યો છે.
I want to dedicate the historical achievement of the country on 28 April, when all villages in India were electrified, to the workers and labourers of the country on this Labour day : PM Modi in Karnataka's Mysuru pic.twitter.com/8ryJ5gkaQ9
— ANI (@ANI) May 1, 2018
૨૮ અપ્રિલની તારીખ દેશના ઇતિહાસના પાને લખાઈ ચુકી છે કારણ કે હવે દેશના તમામ ગામોમાં વીજળી પહોચી ચુકી છે. જે ૧૮૦૦૦ ગામોમાં વીજળી ન હતી, જ્યાં વીજળી પહોચી ચુકી છે.
કોંગ્રેસના નવા અધ્યક્ષ ઉત્સાહમાં આવીને ક્યારેક પોતાની મર્યાદા તોડે છે.
અમારા કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ વધુ ઉત્સાહમાં આવીને ક્યારેક પોતાની મર્યાદા તોડી દે છે. પરંતુ તેઓના મુખેથી ક્યારેક દેશના મજુરો માટે સારા શબ્દો નીકળ્યા હોત તો ખુબ સારું હોત..
જે લોકો અમારી વિરુધ ભાષાનો દુરુપયોગ કરે છે, તે લોકોને હું પુછવા માંગું છું કે, શું કારણ છે જ્યાં આઝાદીના ૭૦ વર્ષો પછી પણ કરોડો ઘરોમાં વીજળી નથી.
કોંગ્રેસ પર પ્રહારો કરતા પીએમ મોદીએ જણાવ્યું,
કોંગ્રેસ પાસે એવી લીડરશીપ છે જેઓને દેશનો ઈતિહાસનું જ્ઞાન નથી, જેઓને વંદે માતરમના ગૌરવની પણ ખબર નથી. ન તો તેઓને કોઈ મહાપુરુષ અંગે પણ ખબર નથી.
કોંગ્રેસના નેતાઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જીના આદેશનો અનાદર કર્યો હતો અને તેઓના નિર્ણયના પત્રને પત્રકાર સભામાં ફાડી નાખ્યો હતો.
Before questioning us Rahul Gandhi should know that in 2005 Manmohan Singh had said that all villages will be electrified by 2009, and the same thing was said by Sonia Gandhi ji and you(Rahul ) mock the labourers &workers who made this (electrification) possible:PM Modi in Mysuru pic.twitter.com/vZ9xTARsyt
— ANI (@ANI) May 1, 2018
કોંગ્રેસના અધ્યક્ષ મનમોહન સિંહની વાત માનતા ન હતા, પરંતુ કમ સે કમ પોતાની માતાની વાત તો માની લો. તમારા માતાજીએ વર્ષ ૨૦૦૫માં કહ્યું હતું કે, ૨૦૦૯ સુધી દેશના તમામ ઘરોમાં વીજળી પહોચાડીશું, પરંતુ ૨૦૧૪ સુધી તમે કશું જ કર્યું ન હતું. ત્યારે આજે કોંગ્રેસના નેતાઓ દેશના મજૂરોની મજાક ઉડાવે છે.
કર્ણાટકમાં પણ કર્ણાટકમાં પણ ૨૦૧૪માં ૯ ગામો એવા હતા જ્યાં વીજળી પહોચી ન હતી, તે તમામ ગામડાઓમાં આજે કેન્દ્ર સરકારની યોજનાઓના ભાગરૂપે વીજળી પહોચાડવામાં આવી છે.
I challenge you (Rahul Gandhi) to speak for 15 minutes on the achievements of your government in #Karnataka without reading from any piece of paper. You can speak in Hindi, English or your mother tongue: PM Modi in Mysuru pic.twitter.com/BqVx9XThya
— ANI (@ANI) May 1, 2018
જયારે કોઈ નેતા સંસદ અથવા તો બહાર કઈ પણ કહે છે ત્યારે લોકતંત્રમાં તેઓની વાતોને ગંભીરતાથી લેવામાં આવતી હોય છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મને પડકાર આપ્યો હતો કે, જયારે હું સંસદમાં ૧૫ મિનિટ બોલીશ તો મોદી જી ત્યાં બેસી પણ નહિ શકે.
તે ૧૫ મિનિટ બોલશે એ મોટી વાત છે અને મને યાદ છે કે હું બેસી નહિ શકું. પરંતુ મને યાદ આવે છે કે શું શીન હતો.
He (Rahul Gandhi) had challenged me that if he speaks for 15 minutes then I will not be able to stand in front of him. Yes, you are right, you are a 'naamdar', what right do we 'kaamdaars' have to even sit in front of you: PM Modi in Mysuru pic.twitter.com/q2135roLdo
— ANI (@ANI) May 1, 2018
તેઓએ રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું, કોંગ્રેસ અધ્યક્ષ સામે અમે બેસી નહીં શકતા, પરંતુ તમે નામદાર છો અને અમે કામદાર છીએ. અમે તો સારા કપડા પણ પહેરી શકતા નથી, તમારી સામે કેવી રીતે બેસીશું.
કોંગ્રેસનું કામ અટકાવવું, લટકાવવું અમે ભટકાવવું છે.
કોંગ્રેસનું કામ અટકાવવું, લટકાવવું અમે ભટકાવવું છે. પરંતુ અમારું લક્ષ્ય ૨૦૨૨ સુધી દેશના તમામ ખેડૂતોની કમાણી બે ગણી કરવાનો છે. સરકાર દ્વારા સતત આ દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે, આગામી ૧૨ મેના રોજ કર્ણાટક વિધાનસભાની કુલ ૨૨૪ સીટો પર ચૂંટણી યોજાવવાની છે. આ ચુંટણીને લઇ ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ સહિતની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
