રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર બુધવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સમાચાર અનુસાર, બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત લગભગ 20 થી 25 મિનિટ સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાતચીત દરમિયાન બંને વચ્ચે મહારાષ્ટ્રના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.
ખાસ વાત એ છે કે બંને વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે EDએ મોટી કાર્યવાહી કરતા શિવસેના નેતા સંજય રાઉતના પરિવારની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. સંજય રાઉત દ્વારા કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:સંજય રાઉતે કિરીટ સોમૈયા પર ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ, કહ્યું ‘દેશદ્રોહ’
શિવસેનાના નેતા સંજય રાઉતે બીજેપી નેતા કિરીટ સોમૈયા પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. સંજય રાઉતે કહ્યું કે વર્ષ 2013-14માં જ્યારે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજયનું પ્રતિક ભારતીય નૌકાદળનું જહાજ INS વિક્રાંત સેવા સમાપ્ત કરી રહ્યું હતું અને તેને ‘વોર મ્યુઝિયમ’ બનાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે ભારત સરકારે કહ્યું હતું કે આ માટે 200 કરોડ રૂપિયાની જરૂર પડશે.
આવા સમયે INS વિક્રાંતને સ્ક્રેપમાં જતા બચાવવા માટે કિરીટ સોમૈયાએ ‘સેવ વિક્રાંત’ અભિયાન શરૂ કર્યું હતું અને મુંબઈના એરપોર્ટથી અલગ-અલગ રેલવે સ્ટેશન ચર્ચ ગેટ, નેવી નગર વગેરે માટે દાન એકત્ર કર્યું હતું. આ રીતે સોમૈયાએ 57 કરોડથી વધુનું દાન એકત્ર કર્યું હતું. કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે, તેઓ તમામ પૈસા રાજ્યપાલના ખાતામાં જમા કરાવી દેશે, પરંતુ તેમણે રાજભવનમાં પૈસા જમા કરાવ્યા ન હતા. સોમૈયાએ ચૂંટણી લડવા માટે આ નાણાંનું રોકાણ કર્યું હતું અને તેમના પુત્ર નીલ કિરીટ સોમૈયાની કંપનીમાં રોકાણ કર્યું હતું. આ કૌભાંડ માત્ર કૌભાંડ નથી પરંતુ રાજદ્રોહ છે. રાઉતે કહ્યું કે અમને રાજભવન પાસેથી માહિતી મળી છે કે આટલી રકમ રાજભવનને સોંપવામાં આવી નથી. પૈસા ક્યાં ગયા?
આ પણ વાંચો:કોંગ્રેસે શરૂ કરી સાબરમતી આશ્રમથી 1171 કિમીની યાત્રા
આ પણ વાંચો: સ્વાભિમાની પક્ષનું સ્વાભિમાન જાગ્યું ?, મહાવિકાસ અઘાડી સાથે ફાડ્યો છેડો.
