નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચારેય દોષીઓને 3 માર્ચે સવારે છ વાગ્યે ફાંસી આપવામાં આવશે. પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે નવું ડેથ વોરંટ જારી કર્યું છે. સુનાવણી દરમિયાન દોષિત મુકેશે અદાલતને કહ્યું હતું કે નથી ઇચ્છ તો કે ન્યાયામિત્ર વૃંદા ગ્રોવર તેના કેસની પેરવી કરે, મુકેશની આ અપીલ પછી ન્યાયાધીશે અધિવક્તા એડવોકેટ રવિ કાઝીની આ મામલે પેરવી કરવા નિમણૂક કરી હતી.
આપને જણાવી દઇએ કે, તિહાર જેલ પ્રશાસને આ કેસમાં અદાલતમાં સ્ટેટસકો દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે મૃત્યુદંડ માટે દોષિત વિનય શર્મા ભૂખ હડતાલ પર છે. અદાલતે વિનય શર્માની ભૂખ હડતાલ પર જેલ અધિક્ષકને કાયદા મુજબ તેની સંભાળ રાખવા નિર્દેશ આપ્યો.
સુનાવણી પૂર્વે, દિલ્હી ગેંગ-રેપ પીડિતની માતા આશા દેવીએ જણાવ્યું હતું કે, ગુનેગારો સામે નવા ડેથ્યુ વોરંટની અરજી પર સુનાવણીની આશા છે. તેમણે કહ્યું કે સુનાવણીની ઘણી તારીખો આવી ચુકી છે, પરંતુ નવું ડેથ વોરંટ જારી કરાયું નથી. અમે દરેક સુનાવણીની અપેક્ષા રાખીએ છીએ. ખબર નથી કે આજે શું થશે પરંતુ મેં આશા છોડી નથી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સુપ્રીમ કોર્ટમાં નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં ચાર દોષિતોને અલગથી ફાંસી આપવાની માંગણીને નકારી કાઢવાના નીચલી કોર્ટનાં આદેશને પડકારતી અરજી હાલ પડતર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
