વિવાદ/ Kashmir Files પર કેરળ કોંગ્રેસે કહ્યું- 17 વર્ષમાં 399 કાશ્મીરી પંડિત અને 15000 મુસ્લિમોની થઈ હત્યા

વિવેક રંજન અગીહોત્રી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં છે.

Top Stories India
કાશ્મીર ફાઇલ્સ

કાશ્મીરી પંડિતોની પલાયન પર આધારિત ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ ને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને તમામ પ્લેટફોર્મ પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. વિવેક રંજન અગીહોત્રી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં છે. ઘણા રાજ્યોએ પોતાની રીતે આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવી છે. દરમિયાન, કેરળ કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોના પલાયનને લઈને અનેક ટ્વિટ કરી છે, જેનાથી વિવાદ ઊભો થયો છે.

કોંગ્રેસે કર્યું ટ્વિટ

કેરળ કોંગ્રેસ દ્વારા આ અંગે કરાયેલી એક ટ્વિટ પણ ડિલીટ કરવામાં આવી છે. કેરળ કોંગ્રેસે કાશ્મીરી પંડિત મુદ્દે જે તથ્યો મૂક્યા છે તેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસે શ્રેણીબદ્ધ ટ્વિટમાં લખ્યું, ‘તેઓ આતંકવાદી હતા જેમણે કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા હતા. 1990 થી 2007 વચ્ચેના 17 વર્ષમાં 399 પંડિતો આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. આ જ સમયગાળા દરમિયાન આતંકવાદીઓએ 15,000 મુસ્લિમોની હત્યા કરી હતી.

ભાજપ પર સાધ્યું નિશાન

શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) પર હુમલો કરતા, કેરળ કોંગ્રેસે કહ્યું કે કાશ્મીરી પંડિતોએ એકસાથે ખીણ છોડી દીધું અને તે સમયે રાજ્યપાલ જગમોહન હતા, જે RSSના માણસ હતા. બીજેપી સમર્થિત વીપી સિંહ સરકાર હેઠળ પલાયન શરૂ થઈ હતી. ટ્વિટમાં લખ્યું હતું કે, ‘બીજેપી સમર્થિત વીપી સિંહ સરકાર ડિસેમ્બર 1989માં સત્તામાં આવી હતી. પછીના મહિને જાન્યુઆરી 1990માં પંડિતોની પલાયન શરૂ થઈ. ભાજપે કશું કર્યું નહીં અને નવેમ્બર 1990 સુધી વીપી સિંહને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું.

કોંગ્રેસે દાવો કર્યો કે યુપીએ સરકારે જમ્મુમાં કાશ્મીરી પંડિતો માટે 5242 મકાનો બનાવ્યા. આ ઉપરાંત, પંડિતોના દરેક પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની રકમ આપવામાં આવી હતી, જેમાં પંડિત પરિવારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ થાય છે.

ભાજપે કર્યો પ્રચાર

પાર્ટી યુનિટે દાવો કર્યો હતો કે પંડિતોને સુરક્ષા આપવાને બદલે રાજ્યપાલ જગમોહને તેમને જમ્મુમાં સ્થળાંતર કરવા કહ્યું હતું. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભાજપ પલાયન દરમિયાન અયોધ્યામાં રામ મંદિર મુદ્દે દેશમાં હિન્દુ-મુસ્લિમ વિભાજનની યોજના બનાવી રહ્યું હતું. પંડિતોનો મુદ્દો ચૂંટણી લાભ માટે નકલી આક્રોશ ઉભો કરવા માટે ભાજપના પ્રચારને અનુરૂપ હતો. ટ્વિટર પર કેરળ કોંગ્રેસના આ ટ્વિટને લઈને યુઝર્સ ગુસ્સે છે.

આ પણ વાંચો :સ્વામી પ્રસાદ મૌર્ય માટે અખિલેશ યાદવ પોતાની બેઠક છોડી શકે છે!લોકસભાનું સમીકરણ

આ પણ વાંચો :દેશમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ,આજે કોરોનાના નવા 2 હજારથી વધુ કેસ,27 દર્દીઓના મોત

આ પણ વાંચો :યુક્રેનમાં ભારતીય વિધાર્થી રશિયા સામે લડવા સેનામાં જોડાયો હતો,હવે સ્વદેશ પરત આવવા માંગે છે..

આ પણ વાંચો :આજથી બજેટ સત્રનો બીજો તબક્કો,નાણામંત્રી જમ્મુ-કાશ્મીરનું બજેટ રજૂ કરશે