વિરાટ કોહલી દ્રારા MS ધોની સાથે જૂની મેચની યાદ તાજી કરતી ટ્વીટ કરી અને માહીની નિવૃત્તિ લેવાની અફવાઓ ને ઓર વેગ આપ્યો હતો. આપને જણાવી દઇએ કે સવારથી MS ધોનીની નિવૃતીની વાતો સોશિયલ મીડિયા ફરી રહી છે. ક્રિકેટ ચાહકો તરફથી વિદાય સંદેશ સોશિયલ મીડિયા પર એટલા તો આપવામાં આવ્યા છે કે, ધોની છલકાઇ ગયો હતો.
જો કે, ધોનીની પત્ની સાક્ષીએ એક ટ્વિટમાં ક્રિકેટ ચાહકોને સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો કે માહી હાલ રિટાયર થવાનો નથી અને સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યું છે તે માત્ર એક અફવા છે. ધોની સાથે 2016 ના ટી -20 વર્લ્ડ કપ દરમિયાન વિરાટે ઓસ્ટ્રેલિયા સામેની મેચની તસવીર શેર કરતાની સાથે જ સમાચાર આવવા લાગ્યા હતા કે ધોની તેના વતન રાંચીમાં સાંજે 7 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્રિકેટને અલવિદા કહી દેશે.