Tellywood/ Pandya Store ફેમ સિમરન બુધરૂપને સો. મીડિયા પર મળી બળાત્કારની ધમકી, નોંધાવી ફરિયાદ 

અભિનેત્રીએ જણાવ્યું કે પહેલા તે ટ્રોલર્સને હળવાશથી લેતી હતી. પરંતુ મામલો હદ વટાવી જતાં તેણે પોલીસનો સહારો લેવો પડ્યો હતો.

Entertainment
Pandya Store

જાણીતી ટીવી એક્ટ્રેસ અને પંડ્યા સ્ટોર (Pandya Store)માં નેગેટિવ રોલ પ્લે કરી રહેલી સિમરન બુધરૂપે તાજેતરમાં જણાવ્યું હતું કે એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર સતત બળાત્કારની ધમકીઓ મળી રહી હતી, ત્યારબાદ સિમરને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિમરન બુધરૂપ (Simran Budharup)પંડ્યા સ્ટોરમાં ‘ઋશિતા’નું પાત્ર ભજવી રહી છે. તેણે નાના છોકરાઓ દ્વારા અપાતી બળાત્કારની ધમકીઓ વિશે એક વિશિષ્ટ વાતચીતમાં ખુલાસો કર્યો અને સોશિયલ મીડિયા પર આવી ધમકીઓ શા માટે મળી તે પણ સમજાવ્યું.

આ કારણે સિમરન બુધરૂપને સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી ધમકી

સિમરન બુધરુપે ઇ-ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં સોશિયલ મીડિયા પર મળેલી ધમકી વિશે જણાવ્યું. તેણીએ કહ્યું, ‘શરૂઆતમાં, હું આ બધી ટિપ્પણીઓને હળવાશથી લેતી હતી. કારણ કે મારા પાત્રના શો ‘પંડ્યા સ્ટોર’માં તે એવી રીતે અભિનય કરે છે કે હું સમજી શકું કે લોકો તેને નાપસંદ કરે છે. તે એક નકારાત્મક પાત્ર છે જે રવિ અને દેવ વચ્ચેના સંબંધોને તોડી નાખે છે જે શોના મુખ્ય પાત્રો છે. પરંતુ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા સતત બળાત્કારની ધમકીઓ અને દ્વેષપૂર્ણ ભાષણનો ઉપયોગ તેમની હદ વટાવી ગયો. ઘણી બધી વસ્તુઓ થઈ જે યોગ્ય ન હતી, તેથી મેં પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું.

https://www.instagram.com/p/Cd7fHuSPFQJ/?utm_source=ig_embed&ig_rid=a3f4d6d7-14e8-4747-9df2-2a8825811847

13-14 વર્ષની વયના છોકરાઓએ સોશિયલ મીડિયા પર આપી હતી ધમકી

સિમરન બુધરુપે એ પણ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર આવી ધમકી આપનારા છોકરાઓની ઉંમર લગભગ 13 થી 14 વર્ષની છે. તેણે કહ્યું, ‘તેમના માતા-પિતા તેમને અભ્યાસ માટે ફોન આપે છે, પરંતુ આ બાળકો આવા કૃત્યો કરીને તેમના માતા-પિતાનો વિશ્વાસ તોડી નાખે છે. તેઓ જાણતા નથી કે શું ખોટું છે અને ક્યાં તેમણે તેમની મર્યાદામાં રહેવું જોઈએ. તેઓ આવી ખરાબ વસ્તુઓ કરે છે. મને લાગે છે કે તેઓએ તેમના બાળકો પર નજર રાખવી જોઈએ. ટીવી અભિનેત્રી સિમરન બુધરૂપની કારકિર્દી વિશે વાત કરીએ તો, તે દુર્ગાઃ માતા કી છાયા અને નજર જેવા શોમાં જોવા મળી છે.

આ પણ વાંચો:4G કરતા 10 ગણું ઝડપી 5G ટૂંક સમયમાં આવશે : કેબિનેટે સ્પેક્ટ્રમની હરાજીને આપી મંજૂરી

આ પણ વાંચો:કુવૈતને ગાયના છાણની પડી જરૂર, યુપી સહિત આ બે રાજ્યોએ કન્ટેનર ભરી કર્યું રવાના

આ પણ વાંચો:સદીઓ બાદ શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં લહેરાશે ધ્વજ, 18 જૂને પીએમ કરશે ધ્વજારોહણ