સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને તાજ મહલ પર આપેલા ભાજપના ધારાસભ્ય સંગીત સોમ દ્રારા તાજમહેલ અંગે આપવામાં આવેલા નિવેદનને અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. આઝમ ખાને કહ્યું, દેશમાંથી ગુલામીના તમામ નિશાનીઓને નાબૂદ કરવી જોઈએ. શા માટે માત્ર તાજ મહેલ, સંસદ, રાષ્ટ્રપતિ ભવન, કુતુબ મિનાર, લાલ કિલ્લો બધા ગુલામીની નિશાની છે તેને પણ નાબૂદ કરવી જોઈએ.
મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશમાં સરઘના સીટથી ભાજપના ધારાસભ્યએ તાજમહેલ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તાજમહેલ ગદ્દારોએ બનાવ્યો છે, તેને ઈતિહાસમાં સ્થાન ન મળવું જોઈએ.