Not Set/ ઉત્તર ભારતની બધી ફ્લાઇટ્સ કરવામાં આવી રદ

બુધવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરામાં પાકિસ્તાની જેટ ઘૂસી ગયા હતા.ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે.બીજી તરફ જમ્મુ-કાશ્મીર તેમજ પંજાબના તમામ એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇમરજન્સીના પગલે આવું પગલું ભરવામાં આવ્યું છે. જોકે, કેવા પ્રકારની ઇમરજન્સી છે તે જણાવવામાં આવ્યું નથી. ત્યારે જમ્મુ, શ્રીનગર, લેહ, […]

Top Stories India

બુધવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરામાં પાકિસ્તાની જેટ ઘૂસી ગયા હતા.ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે.બીજી તરફ જમ્મુ-કાશ્મીર તેમજ પંજાબના તમામ એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇમરજન્સીના પગલે આવું પગલું ભરવામાં આવ્યું છે. જોકે, કેવા પ્રકારની ઇમરજન્સી છે તે જણાવવામાં આવ્યું નથી. ત્યારે જમ્મુ, શ્રીનગર, લેહ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, દેહરાદૂન અને ધર્મસલા એરપોર્ટથી ઉડતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. બધા એરપોર્ટ એલર્ટ કરવામાં આવ્યા.

તો બીજી તરફ પાકિસ્તાને તેની ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે. લાહોર, મુલ્તાન, ઇસ્લામાબાદ, સિઆલકોટ એરપોર્ટથી ઉડતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.