Not Set/ ત્રિપુરા : વામપંથી સ્મારકો હટાવતાં રાજ્યમાં હિંસક તોફાનો, વ્લાદિમીર લેનિનની મૂર્તિને તોડી પડાઈ

અગરતલા, ત્રિપુરા વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ રાજ્યના હિંસા ભડકી ઉઠી છે. ઠેર-ઠેર તોડફોડ, મારપીટનો માહોલ છે ત્યારે હવે ડાબેરીઓના સ્મારકને પણ તોડવામાં આવી રહ્યા છે. ભાજપના કેટલાક સમર્થકોએ દક્ષિણ ત્રિપુરાના બેલોનિયામાં બુલ્ડોઝરની મદદથી રશિયન ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિને તોડી પાડી છે. સામ્યવાદી વિચારધારાના પ્રતિક સમાન લેનિનની મૂર્તિ તોડાયા બાદ ડાબેરી સમર્થકો પણ […]

India
અગરતલા,
ત્રિપુરા વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ રાજ્યના હિંસા ભડકી ઉઠી છે. ઠેર-ઠેર તોડફોડ, મારપીટનો માહોલ છે ત્યારે હવે ડાબેરીઓના સ્મારકને પણ તોડવામાં આવી રહ્યા છે. ભાજપના કેટલાક સમર્થકોએ દક્ષિણ ત્રિપુરાના બેલોનિયામાં બુલ્ડોઝરની મદદથી રશિયન ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિને તોડી પાડી છે. સામ્યવાદી વિચારધારાના પ્રતિક સમાન લેનિનની મૂર્તિ તોડાયા બાદ ડાબેરી સમર્થકો પણ નારાજ છે. જેના કારણે રાજ્યમાં હિંસા ભડકે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

છેલ્લા બે દિવસથી રાજ્યમાં પહેલાથી જ હિંસાનો માહોલ છે. ભાજપની જીત બાદ રાજ્યના અનેક વિસ્તારમાં ડાબેરીઓના કાર્યાલય પર હુમલા થયા છે. તેમજ ભારે તોડફોડ અને મારપીટ પણ થઈ છે. રાજ્યમાં ૨૫ વર્ષ સુધી સત્તામાં રહેનાર સીપીઆઈએ આરોપ લગાવ્યો છે, કે ભાજપ અને આઈપીએફટીના કાર્યકર્તાઓ હિંસા પર ઉતરી આવ્યા છે. તેઓ ડાબેરીઓના કાર્યાલયમાં તોડફોડ કરવા ઉપરાંત કાર્યકર્તાઓના ઘર પર હુમલા કરીને તેમને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન રશિયન ક્રાંતિના પ્રતિક વ્લાદિમીર લેનિનની મૂર્તિ તોડનાર લોકો ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ભાજપના સમર્થકોએ બુલ્ડોઝરના ડ્રાઈવરને દારુ પીવડાવી આ મૂર્તિ તોડવા ઉશ્કેર્યો હતો, અત્યારે પોલીસે બુલ્ડોઝર ડ્રાઈવરની ધરપકડ કરી છે અને બુલ્ડોઝર જપ્ત કરવામાં આવ્યુ છે.