નવી દિલ્હી: પાસપોર્ટ એક એવો ડોક્યુમેન્ટ છે જે આપણને ઘણી જગ્યાએ કામ લાગે છે. પાસપોર્ટએ એડ્રસપ્રૂફ માટે ખુબ જ ઉપયોગી ગણતો હતો. વિદેશ મંત્રાલયની જાહેરાત મુજબ હવે પાસપોર્ટનું જે છેલ્લું પેજ આવતું તે હવેથી પ્રિન્ટ નહિ કરવામાં આવે.
છેલ્લાં પાના પર નામ, પિતા અથવા કાનૂની વાલીનું નામ, માતાનું નામ, પત્નીનું નામ અને એડ્રેસ છપાયેલું હોય છે. આમ પાસપોર્ટનો ઉપયોગ સામાન્ય રીતે રહેઠાણ પુરાવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવત્તો. પરંતુ હવે તે પેજ છાપવામાં નહી આવે. અને હવે અડ્રેસપ્રૂફ તરીકે ઉપયોગ નહી કરી શકાય. હવે પાસપોર્ટ બે રંગનો છાપવામાં આવશે. પાસપોર્ટ ઈમિગ્રેશન ચેક રિકવાયર્ડ સ્ટેટ્સ વાળા પાસપોર્ટ નારંગી રંગના જેકેટવાળા આપવામાં આવશે. અને નોન ઈમિગ્રેશન ચેક રિકવાયર્ડ સ્ટેટ્સવાળા લોકો માટે નિયમિત વાદળી રંગના પાસપોર્ટ જારી કરવામાં આવશે.