મુંબઈ.
મહારાષ્ટ્રમાં મુંબઈના જૂહુ એરપોર્ટથી ONGCના કર્મચારીઓને લઇ જઈ રહેલું પવનહંસ હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ હેલિકોપ્ટરમાં ઓએનજીસીના પાંચ કર્મચારી અને બે પાઈલોટ સવાર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હેલિકોપ્ટરની ઉડાણ ભર્યા બાદ માત્ર ૧૦ મિનિટમાં જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક તૂટી ગયો હતો. અને ત્યારબાદ હેલિકોપ્ટરને શોધવા માટે નેવી અને કોસ્ટગાર્ડની ટીમે કવાયત હાથ ધરી હતી. આ ઘટના અંગેની તપાસમાં કોસ્ટગાર્ડને હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો તેમજ ૪ લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પવનહંસનું VT PWA હેલિકોપ્ટરે શનિવાર સવારે ૧૦:૨૦ વાગ્યે જૂહુ એરપોર્ટથી ઉડાણ ભરી હતી. આ હેલિકોપ્ટરમાં ૨ પાયલટ અને ૫ ઓએનજીસીના કર્મચારીઓ સવાર હતા. હેલિકોપ્ટર સવારે ૧૦:૫૮ વાગ્યે ઓએનજીસીના નોર્થ ફિલ્ડ પર ઉતરવાનું હતું પરંતુ ૧૦:૩૦ હેલિકોપ્ટર સાથે ઓયલ રિગ એર ટ્રેફિક કંટ્રોલનો છેલ્લે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારે હેલિકોપ્ટર મુંબઈ કોસ્ટથી 30 નોટિકલ માઇલ દૂર હતું.
આ પહેલા સવારે ૧૦:૨૫ વાગ્યે નિયમ અનુસાર પાયલલોટે પોતાનો રેડિયો સંપર્ક જુહૂ એર ટ્રાફિક કંટ્રોલથી ઓયલ રિગ સાથે જોડ્યો હતો. જે બાદ બંને પાયલટ ૨ મિનિટ સુધી લગભગ ૯ કિલોમીટરના અંતરે ઓયલ રિગ એર ટ્રેફિક કંટ્રોલના
સંપર્કમાં રહ્યા. જોકે ત્યારબાદ હેલિકોપ્ટરથી ઓયલ રિગનો સંપર્ક તૂટી ગયો હતો. હેલિકોપ્ટરની શોધખોળમાં લાગેલી ટીમે, આ ઘટનાને લઇ ઓએનજીસીએ ભારતીય તટ રક્ષકને એલર્ટ કરી દીધા હતા.
હેલિકોપ્ટરની શોધખોળમાં 2 આઈએસવી અને તટ રક્ષક દળના 3 યુનિટ લગાવ્યા છે. આ ઘટનાને લઈને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રક્ષામંત્રી સીતારમણ પાસે તટ રક્ષકો અને અન્ય એજન્સીઓ દ્વારા હેલિકોપ્ટરની શોધખોળ માટે મદદ માંગી હતી.