મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. ભૂમિપૂજન માટે આખું અયોધ્યા શહેર દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. હવે ટૂંક સમયમાં જ ભૂમિપૂજન કરવામાં આવશે. પૂજા સ્થળ પર પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. પંડાલની અંદર રંગોળી બનાવવામાં આવી છે, ફૂલોથી શણગારવામાં આવ્યો છે, અહીં ફૂલોની ઝાલરો છે, અને બેસવાની વ્યવસ્થા પણ છે. પંડાલની અંદરનાં દૃશ્યો ખૂબ જ સુંદર છે. તો આવો જોઈ કે પંડાલ અંદરથી કેટલો સુંદર છે.
પીએમ મોદી જન સમારોહમાં આપશે હાજરી
આપને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં “શ્રી રામ જન્મભૂમિ મંદિર” ના શિલાન્યાસ નિમિત્તે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી આ કાર્યક્રમ પૂર્વે હનુમાનગઢીમાં “પૂજા” અને “દર્શન” કરશે. મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા માટે પીએમ મોદી અયોધ્યાની મુલાકાત લેશે, તેની સત્તાવાર રીતે પુષ્ટિ આજે થઇ છે.
12.44 વાગ્યે ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ
મંદિરના નિર્માણનો શિલાન્યાસ કરવા માટે, તેઓ એક પટ્ટિકાનું અનાવરણ કરશે અને પ્રસંગે “શ્રી રામ જન્મભૂમિ મંદિર” પર એક સ્મારક ટપાલ ટિકિટ પણ જારી કરશે. બપોરે 12.30 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરના શીલપટ્ટાનું અનાવરણ કરવામાં આવશે. પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવત બપોરે 12.44 વાગ્યે ભૂમિપૂજન કાર્યક્રમની શરૂઆત કરશે.
પ્રારંભ 12.44 વાગ્યે થશે
બધા અતિથિઓને ‘ચાંદીના સિક્કા’ આપવામાં આવશે. રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમમાં આમંત્રિત તમામ મહેમાનોને ‘ચાંદીના સિક્કા’ આપવામાં આવશે. તેમાં એક તરફ રામ દરબારની તસ્વીર હશે, જેમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન રહેશે. બીજી બાજુ વિશ્વાસનું ચિહ્ન બનેલી રહશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.