Not Set/ PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની માહિતી.

PM મોદી  ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. મોદી રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી ખાતે વિવિધ કાર્યક્રમોનું ઉદ્ધાટન, જાહેરસભા સંબોધશે. રાજકોટ ખાતે મોદીનો રોડ શો યોજશે . બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. નરેન્દ્ર મોદી બે દિવસ એટલે કે લગભગ 32 કલાક ગુજરાતમાં રોકશે. ત્યારે પ્રવાસની વિગતો આ મુજબ […]

Uncategorized
PM મોદી  ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. મોદી રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી ખાતે વિવિધ કાર્યક્રમોનું ઉદ્ધાટન, જાહેરસભા સંબોધશે. રાજકોટ ખાતે મોદીનો રોડ શો યોજશે . બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. નરેન્દ્ર મોદી બે દિવસ એટલે કે લગભગ 32 કલાક ગુજરાતમાં રોકશે. ત્યારે પ્રવાસની વિગતો આ મુજબ છે….
૨૯ જૂન  ૨૦૧૭ 
9:25 – દિલ્હીથી એરફોર્સના વિમાનમાં અમદાવાદ આવવા રવાના થશે.
11:05 – અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ જવા રવાના થશે.
11:20થી 1:05 – સાબરમતી આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
1:15થી 2:55 – અમદાવાદ સર્કિટહાઉસ ખાતે લંચ લેશે.
3:05 – અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા રવાના
4:00 – રાજકોટ એરપોર્ટ પહોંચશે.
4:05 – રેસકોર્સ મેદાનમાં દિવ્યાંગના કાર્યક્રમમાં ભાગ લેશે.
5:40 – આજી ડેમ સાઇટ પર પહોંચશે.
5:40થી 5:50 – ઉદ્ધાટન કાર્યક્રમ.
6:00થી 7:00 – આજી ડેમ ખાતે જાહેર કાર્યક્રમ
7:00થી 8:00 – આજી ડેમથી એરપોર્ટ સુધી રોડ શો
8:55 – અમદાવાદ એરપોર્ટ આવશે
9:20 – રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિરોકાણ
30 જૂન ૨૦૧૭
9:40 – ગાંધીનગરથી એરફોર્સના પ્લેનમાં મોડાસા જવા રવાના
10:30 – મોડાસા ઇજનેરી કોલેજમાં કાર્યક્રમ
10:30થી 11:30 – પાણીની યોજનાનું ઉદ્ધાટન
12:25 – રાજભવન ગાંધીનગર પરત ફરશે
12:30થી 2:00 – રાજભવન લંચ
2:10થી 2:25 – ગાંધીનગર ટેક્સટાઇલ ફેરની મુલાકાત