વાતચીત/ PM મોદીએ દેવઘર રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા જવાનો સાથે કરી વાત

રોપવે દુર્ઘટના બાદ દેવઘરમાં લગભગ 46 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 56 પ્રવાસીઓના જીવ બચ્યા હતા.

Top Stories India

ઝારખંડમાં રોપ-વે અકસ્માચ સર્જાયો હતો અેમા ભારના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને 56 નાગરિકોને બચાવ્યા હતા આ સદર્ભે વડાપ્રધાન મોદીએ જવાનો સાથે વાતચીત કરી હતી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેના, આર્મી, NDRF, ITBP અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને ઝારખંડના દેવઘરમાં રોપ-વે અકસ્માત બાદ બચાવ કામગીરીમાં સામેલ સામાજિક સંસ્થાઓના સભ્યો સાથે વાત કરી હતી. રોપવે દુર્ઘટના બાદ દેવઘરમાં લગભગ 46 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 56 પ્રવાસીઓના જીવ બચ્યા હતા.

આ મહત્વપૂર્ણ બચાવ અભિયાનમાં સામેલ અધિકારીઓ અને જવાનો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, તમે લોકોએ ત્રણ દિવસ સુધી 24 કલાકનો સમય લઈને મુશ્કેલ બચાવ કામગીરી પૂર્ણ કરી અને ઘણા દેશવાસીઓના જીવ બચાવ્યા. આખા દેશે તમારી હિંમતની પ્રશંસા કરી છે. , જો કે મને દુઃખ છે કે અમે ઘણા સાથીઓનો જીવ બચાવી શક્યા નથી. કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી ઈચ્છા કરીએ છીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેણે પણ આ ઓપરેશન જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા, તમે લોકો ત્યાં હાજર હતા, કલ્પના કરી શકાય છે કે તમારા માટે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હશે. પરંતુ દેશને ગર્વ છે કે આપણી સેના,  વાયુસેના,  NDRF જવાનો, ITBP અને પોલીસ દળના જવાનોના રૂપમાં એવું કુશળ બળ છે જે દેશવાસીઓને દરેક સંકટમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવાની ક્ષમતા ધરાવે છે. આ અકસ્માતમાંથી આપણે ઘણા પાઠ પણ શીખ્યા છે. તમારા અનુભવો ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે.

આ દરમિયાન પીએમ મોદીએ તમામ અધિકારીઓ અને જવાનો પાસેથી જાણ્યું કે તેમણે આ બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરી. NDRF અધિકારીએ જણાવ્યું કે કેવી રીતે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય શરૂ કર્યું. તેણે કહ્યું કે અમને પહેલા એક ઘાયલ મહિલા મળી, જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી.