PM મોદી હાલ વિશ્વભરમાં પ્રસિદ્ધ રાજનેતાઓમાંનાં એક માનવામાં આવે છેે. PM દેશમાં અને વિદેશમાં જ્યાં પણ જાઇ છે પોતાનાં પ્રશંસકો અને ખાસ કરીનાં ભારતી બહાર હોયતો ભારતીય સમુદાયનાં લોકોને મળવાનું ભૂલતા નથી. PM પોતાની આ જ લાક્ષણીકતીને કારણે સર્વત્ર સ્વીકાર્ય અને સરાહનીય છે. PM જ્યાં જાઇ ત્યાંથી, જો વિદેશ ગયા હોય તો ત્યાની સરકાર, સંસ્થા, કે લોકો દ્વારા અને જો દેશનાંં કોઇ ભાગની મુલાકાતે ગયા હોય તો ત્યાં પણ જ્યાં પણ જાઇ ત્યાં લોકો, સ્થાનીક પ્રશાસન અને સંસ્થાઓ અઢળક ભેટ – સૌગાથો એપી પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
PM દ્વારા જ્યારથી તે ગુજરાતનાં મુખ્યમંત્રી હતી ત્યારથી આ રિવાજ ચાલ્યો આવે છે કે, તે તમામ ભેટને રાજ્ય કે દેશનાં હિતમાં વાપરે છે. PMને મળેલી તમામ પ્રકારની ભેટ પછી તે ગમે તેટલી મુલ્યવાન કેમ ન હોય તેને સરકારનાં ખજાનામાં જ જમા કરવવામાં આવે છે. અને બાદમાં દર વર્ષે તે ભેટની નીલામી યોજી તેમાથી એક ભંડોળ ઉભુ કરવામાં આવે છે. આ ભેટની નીલામીમાંથી ઉભુ કરવામાં આવેલું ભંડોળ દેશ હિતની કોઇને કોઇ યોજના પાછળ ખર્ચ કરવામાં આવે છે. આ પરંપરાનું પાલન કરતા આ વર્ષે પણ PM મોદીને મળેલી તમામ ભેટની નીલામી યોજવામાં આવી રહી છે.
PM મોદીને દેશ – વિદેશમાંથી મળેલી 2700થી વધુ ભેટની 14મી સપ્ટેમ્બરે હરાજી કરવામાં આવશે. નીલામીમાંથી આવેલી રકમનો ઉપયોગ ગંગાની સફાઈ માટે ખર્ચ કરવામાં આવશે. હંમેશની માફક જ આ ભેટની હરાજી ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવશે. નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ્સમાં PMને મળેલી 2700 જેટલી ભેટનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.PM નરેન્દ્ર મોદીને વિવિધ સંગઠનો અને મુખ્યમંત્રીઓ દ્વારા કુલ 2,772 ભેટ આપવામાં આવી છે, જેમાં શાલ, તસવીરો, અનેક પરંપરાગત આર્ટીકલ્સ અને તલવારોનો સામેલ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન