જમ્મુ અને શ્રીનગરના નગરોટામાં એક એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓ માર્યા ગયા બાદ પીએમ મોદીએ શુક્રવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદી સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોવલ અને ઘણા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને પાકિસ્તાનને એક ‘સશક્ત સંદેશ’ આપ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર ચારેય આતંકવાદીઓ મુંબઇ હુમલાની વર્ષગાંઠ પર મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. સમીક્ષા બેઠકમાં નાગરોટા એન્કાઉન્ટર પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક પછી પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે, “પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓને ઠાર મરાયા અને તેમાં મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકોની હાજરી એ સંકેત આપે છે કે તેઓ વિનાશ અને વિધ્વંસને વેગ આપી શકે છે, પરંતુ તેમના પ્રયત્નો ફરી એકવાર નિષ્ફળ ગયા. ”
વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આપણા સુરક્ષા દળોએ ફરી એકવાર બહાદુરી બતાવી છે. તકેદારીને લીધે, તેઓએ જમ્મુ-કાશ્મીરમાં પાયાની લોકશાહી પદ્ધતિઓને લક્ષ્યાંક બનાવવા માટે ઘડાયેલા નકારાત્મક ષડયંત્રને હરાવી દીધું હતું.
Our security forces have once again displayed utmost bravery and professionalism. Thanks to their alertness, they have defeated a nefarious plot to target grassroots level democratic exercises in Jammu and Kashmir.
— Narendra Modi (@narendramodi) November 20, 2020
આ પહેલા જમ્મુના પોલીસ મહાનિર્દેશક મુકેશસિંહે આ એન્કાઉન્ટર વિશે કહ્યું હતું કે આતંકવાદીઓ કોઈ મોટા ષડયંત્રને રચવાના ઇરાદે આવ્યા હતા જેને નિષ્ફળ બનાવ્યો હતો. સલામતી દળોની સફળતા પર પ્રતિક્રિયા આપતાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું હતું કે, “કોઈ પણ બાહ્ય શક્તિ આપને શાંતિ અને પ્રગતિના માર્ગથી વિચલિત કરી શકે નહીં.” જ્યારે, કાશ્મીરના મહાનિરીક્ષક વિજય કુમારે શ્રીનગરમાં કહ્યું હતું કે ચાર આ મહિનાના અંતમાં યોજાનારી જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ની ચૂંટણી પ્રક્રિયાને આતંકવાદીઓ વિક્ષેપિત કરવા માગે છે, કારણ કે પાકિસ્તાન રાજકીય પ્રક્રિયાને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
PM Narendra Modi held a review meeting with Home Minister, National Security Advisor, Foreign Secretary, and top intelligence establishment over Nagrota encounter. It was found that the terrorists were planning a big attack on the anniversary of 26/11 terror attack: Govt Sources pic.twitter.com/f4ubNq742N
— ANI (@ANI) November 20, 2020
ચારેય આતંકીઓ ટ્રકમાં છુપાયા હતા
ઉલ્લેખનીય છે કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકીઓ એક ટ્રકમાં છુપાયા હતા. એન્કાઉન્ટર બાદ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નગરોટાના બનોટા વિસ્તારમાં આવેલા ટોલ પ્લાઝા નજીક સવારે 5 વાગ્યે એક ટ્રકને તપાસ માટે રોકવામાં આવી હતી, પરંતુ ટ્રક ચાલક વાહન છોડીને ભાગી છૂટ્યો હતો. સીઆરપીએફ અને પોલીસકર્મીઓએ વાહનની તલાશી લેતા જ ટ્રકમાં છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ કરી દીધી હતી. સિંહના કહેવા મુજબ, આતંકવાદીઓને શરણાગતિ માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ આમ કરવાનો ઇનકાર કર્યો, જેના પછી એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે કહ્યું કે અન્ય સુરક્ષા દળો પણ તેમાં જોડાયા હતા, ત્યારબાદ ઉગ્ર ફાયરિંગ થયું હતું. આ સમય દરમિયાન આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકી દીધા હતા અને ફાયરિંગ કર્યું હતું. અંતે સુરક્ષાદળોએ તમામ ચાર આતંકીને ઠાર માર્યા હતા.
