નવી દિલ્હી,
લોકસભાની ચુંટણીનાં ચોથા ચરણનું મતદાન શરૂ થઇ ગયુ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવાનું કહ્યુ છે. તેમણે દેશવાસીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યુ છે.
લોકસભાનાં ચુંટણીનાં ચોથા ચરણ માટે સવારથી લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને મોટી સંખ્યામાં આવી મતદાન કરવા અપીલ કરી છે. તેમણે આ અપીલ ટ્વીટ દ્વારા કરી છે. મોદીએ લોકોને ત્રીજા ચરણમાં થયેલા મતદાનનો રેકોર્ડ તોડવા પણ અપીલ કરી છે. સાથે મોદીએ યુવા મતદારોને અપીલ કરી છે કે, તેઓ મતાદન મથક તરફ આગળ વધીને તમના ફ્રેન્ચાઇઝનો ઉપયોગ કરે.
તમને જણાવી દઇએ કે, લોકસભાનાં ચોથા ચરણ માટે કુલ 9 રાજ્યની 72 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે.
Another phase of the General Elections begins today. I hope those voting today do so in large numbers and break the voting records of the previous three phases.
A special appeal to young voters to head to the polling booth and exercise their franchise.
— Narendra Modi (@narendramodi) April 29, 2019
તમને જણાવી દઇએ કે, દિગ્ગજ નેતાઓ સવારે વહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોચી ગયા હતા. જેમા ઉર્મિલા મારતોડકર જેવા નેતાનો સમાવેશ થાય છે. સાથે બિહારની બેગૂસરાય સીટ પરથી ભાજપ ઉમેદવાર ગિરિરાજ સિંહે મતદાન કર્યુ અને રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મતદાન કર્યું.
